હવે થશે 'Terror 60'નો ખાત્મો, ડરેલ પાકિસ્તાન લૉન્ચ પેડથી આતંકીઓને હટાવવા લાગ્યું

હવે થશે 'Terror 60'નો ખાત્મો, પાકિસ્તાન પણ ડર્યું

પુલવામા હુમલા બાદ દેશના નાગરિકોમાં જે ગુસ્સો છે તે ગુસ્સો દેશના સુરક્ષાબળોમાં પણ છે. પુલવામા હુમલામાં 40થી વધુ શહીદ થયેલ જવાનોનો બદલો લેવાનું સેનાએ શરૂ કરી દીધું છે. જૈશ એ મોહમ્મદના કમાંડર ગાઝી રાશિદ ઉર્ફ કામરાનને ઠાર કરવામાં આવ્યો, પરંતુ હજુ લાંબી લડાઈ છે. સૂત્રો મુજબ ઘાટીમાં જૈશના 60 આતંકવાદીઓ એક્ટિવ છે.

કાશ્મીમાં 60 આતંકવાદી

કાશ્મીમાં 60 આતંકવાદી

જમ્મુ અને કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદે પોતાના આતંકવાદીઓની જાળ ફેલાવી રાખી છે, આખી ઘટનામાં 60 આતંકવાદીઓ છૂપાઈને સામેલ છે. જો અલગ-અલગ જિલ્લામાં ફેલાયા છે. જણાવવામાં આવી હ્યું છે કે તેમાંથી 35 આતંકવાદીઓ વિદેશી છે, જે પૂરી રીતે તૈયાર છે. આતંકીઓ જે જગ્યાએ છૂપાયા હતા તેઓ હવે પોતાના ઠેકાણા પણ બદલી રહ્યા છે. આતંકવાદીઓ શહેરોમાંથી નીકળીને સુરક્ષિત ઠેકાણે પહોંચી ગયા છે. એટલું જ નહિ સરહદ પાર પાકિસ્તાનની સેના પણ આ આતંકવાદીઓને બચાવવામાં લાગી છે.

પાક આર્મી અલર્ટ

પાક આર્મી અલર્ટ

LoC પાસે પાકિસ્તાની સેના અલર્ટ પર છે, તેમણે પણ એ પાર સ્થિત આતંકી ઠેકાણાને શિફ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. જણાવી દઈએ કે સેના સતત કાશ્મીરમાં થઈ રહેલ દરેક ગતિવિધિ વિશે રક્ષામંત્રી નિર્મલા સીતારમણને બ્રીફ કરી રહી છે. જણાવી દઈએ કે આજે જ સીઆરપીએફના ડીજી આર.આ. ભટનાગર ગૃહ મંત્રાલયમાં ગૃહ સચિવને પુલવામા હુમલાની પૂરી જાણકારી આપશે.

રિપોર્ટ આપશે

રિપોર્ટ આપશે

આ ઉપરાંત સેના પ્રમુખ બિપિન રાવત પણ આજે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણથી મુલાકાત કરશે અને જમ્મુ અને કાશ્મીરના હાલાત વિશે રિપોર્ટ આપશે. 14 ડિસેમ્બરે ભારતે પોતાના 40થી વધુ જવાનો ગુમાવી દીધા હતા, જે બાદથી જ સુરક્ષાબળોએ ઘાટીમાં ઓપરેશન તેજ કરી દીધું. સોમવારે જ પુલવામામાં અથડામણમાં સેનાએ જૈશ એ મોહમ્મદના ગાઝી સહિત 2 આતંકીઓને ઠાર માર્યા. આ એન્કાઉન્ટરમાં 4 જવાન પણ શહીદ થઈ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X