Punjab : ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિના વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતા ધરણા કરશે
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બીજેપી પર ગેરરીતિનો આરોપ લગાવી રહી છે. આ આરોપો વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા ચંદીગઢ સેક્ટર 17માં મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડીંગ સામે ભૂખ હડતાળ પર ઉતરશે.
રવિવારે AAP વિરોધ દરમિયાન આ માહિતી આપતા AAP ચંદીગઢના સહ-પ્રભારી ડૉ. સની અહલુવાલિયાએ મીડિયાને જણાવ્યું કે, આજથી પાંચ AAP નેતા દરરોજ 24 કલાકની ભૂખ હડતાળ પર જશે અને ત્યાર બાદ આગામી દિવસોમાં અન્ય પાંચ નેતાઓ લોકશાહીના હત્યારાઓ સામે ઉપવાસ કરશે.

ડો. આહલુવાલિયાએ જણાવ્યું કે, મત ચોર ભાજપ સામે અને આપણી લોકશાહીને બચાવવા માટે આ ક્રમશઃ ભૂખ હડતાલ છે અને જ્યાં સુધી પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહ અને મેયરની ચૂંટણીમાં છેડછાડ માટે જવાબદાર ભાજપના નકલી નેતાઓનો ન્યાય નહીં કરાય ત્યાં સુધી રહેશે.
ડો.આહલુવાલિયાએ કહ્યું કે, અનિલ મસીહ મેયરની ચૂંટણી પર દેખરેખ રાખવા માટે નિયુક્ત કરાયેલા અધિકારી નથી, તેઓ ભાજપના ડાકુ છે, તેઓ ભાજપની લઘુમતી પાંખના સચિવ છે.
તેઓએ 30મી જાન્યુઆરીએ ચંદીગઢમાં લોકશાહીની હત્યા કરી અને ચંદીગઢના તમામ વરિષ્ઠ AAP નેતા જેમાં પ્રદીપ છાબરા અને ચંદ્રમુખી શર્મા, પ્રેમ લતા અને તમામ કાઉન્સિલરોનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે, આ સિવાય AAP ચંદીગઢના રોઝ ગાર્ડન અને સુખના તળાવ જેવા મહત્વના સ્થળો પર પણ કેન્ડલ માર્ચ કાઢશે અને અમે ઘરે-ઘરે જઈને લોકોને બીજેપીની તાનાશાહી સામે જાગૃત કરીશું.
આહલુવાલિયાએ વધુમાં કહ્યું કે, આ મામલે આવતીકાલે સવારે 10:30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ રહી છે અને અમને ખાતરી છે કે કોર્ટ પણ અમારી પડખે રહેશે, જેઓ ભાજપના અન્યાય સામે લડી રહ્યા છે.
તેમણે કહ્યું કે, ચંદીગઢ મેયરની ચૂંટણીમાં આખા દેશે બીજેપીની ખરાબ રમત જોઈ, અમે હંમેશા જાણતા હતા કે બીજેપી ચૂંટણી જીતવા માટે ખોટી પદ્ધતિઓનો આશરો લે છે, પરંતુ આ વખતે તેમની છેડછાડ લાઈવ વીડિયોમાં રેકોર્ડ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
