પંજાબ સરકારે માત્ર 10 મહિનામાં 26 હજારથી વધુ નોકરીઓ આપીઃ CM ભગવંત માન
પંજાબ સરકારે સત્તામાં આવ્યા પછી 10 મહિનામાં 26 હજારથી વધુ નોકરીઓ આપી તેમ મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યુ હતુ.
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ છે કે તેમની સરકારે સત્તામાં આવ્યા પછી માત્ર 10 મહિનામાં યુવાનોને 26,074 નોકરીઓ આપી છે. 188 જુનિયર ઇજનેરોને નિમણૂક પત્રો સોંપવાના સમારંભ દરમિયાન સ્થાનિક નગર નિગમ ભવન ખાતે એક સભાને સંબોધીને માને કહ્યુ, 'રાજ્ય એક નવી ક્રાંતિ જોઈ રહ્યુ છે જ્યાં યુવાનોને સરકારી નોકરીઓ દ્વારા સશક્ત કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 10 મહિનામાં સંપૂર્ણ પારદર્શક ભરતી પ્રક્રિયા સાથે મેરિટના આધારે 26,074 નોકરીઓ આપવામાં આવી છે.'
સીએમ માને કહ્યુ કે આ માત્ર શરૂઆત છે કારણ કે આગામી દિવસોમાં વધુ નોકરીઓ આપવામાં આવશે. ગયા વર્ષે રાજ્યમાં ચૂંટણી દરમિયાન અન્ય પક્ષોએ લોકોને વચનો આપ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટી (આપ) એ તે વચનો પૂરા કરવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યુ કે એક-એક કરીને ગેરંટી પૂરી કરવામાં આવી રહી છે.' તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી ગયા માર્ચમાં પંજાબમાં સત્તામાં આવી હતી.
સીએમ માને કહ્યુ કે રાજ્ય સરકારે ગયા વર્ષે 1 જુલાઈથી દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાની ગેરેન્ટી પણ પૂરી કરી છે. તાજેતરમાં ખોલવામાં આવેલા 500 આમ આદમી ક્લિનિક્સ અંગે મુખ્યમંત્રીએ કહ્યુ કે આ ક્લિનિક્સ દરેક દર્દીનો ડેટા ઑનલાઇન રાખે છે, જેથી તે રાજ્યમાં જીવલેણ રોગોનો સામનો કરવા માટે વ્યૂહરચના બનાવવામાં મદદ કરશે. માનને રાજ્યમાં અગાઉની સરકારોએ પંજાબના નાણાં લૂંટ્યા હોવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યુ હતુ કે રાજ્યની તિજોરીમાંથી નાણા લૂંટનારાઓને સજા કરવામાં આવશે.