For Daily Alerts
પંજાબઃ હવે એપમાંથી બુક કરાવી શકાશે એમ્બ્યુલન્સ, ઈમરજન્સી આરોગ્ય સેવામાં થયો સુધારો
પંજાબમાં ઈમરજન્સી સેવાઓએ સુધારવાની પ્રક્રિયામાં તમામ હૉસ્પિટલોની 2000 એમ્બ્યુલન્સને એક એપ દ્વારા લિંક કરવામાં આવશે.
પંજાબના આરોગ્ય મંત્રી ડૉ.બલબીર સિંહે દાવો કર્યો છે કે હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં ઈમરજન્સી સેવાઓમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે તમામ હૉસ્પિટલોની 2000 એમ્બ્યુલન્સને એક એપ દ્વારા લિંક કરવામાં આવશે. તેમાંથી કોઈ પણ વ્યક્તિ એમ્બ્યુલન્સ બુક કરાવી શકે છે.
તેમણે કહ્યું કે એપ દર્દી પાસે કઈ હૉસ્પિટલ ઉપલબ્ધ છે તેની પણ માહિતી આપશે. તેમણે કહ્યુ કે રાજ્યની તમામ નાની અને મોટી હૉસ્પિટલોમાં 24x7 ઈમરજન્સી સેવાઓ પૂરી પાડવા માટે પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રીએ કહ્યુ કે હૉસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓને બે ભાગમાં વહેંચવામાં આવશે જેથી દર્દીઓને યોગ્ય સારવાર મળી શકે. તેથી જરૂરિયાત મુજબ તબીબો અને અન્ય સ્ટાફની ભરતી કરવામાં આવશે.
punjab punjab government bhagwant mann aap aam admi party health ambulance પંજાબ પંજાબ સરકાર ભગવંત માન આપ આમ આદમી પાર્ટી આરોગ્ય એમ્બ્યુલન્સ
English summary
Punjab: Ambulance can booked through the app, emergency health services improve.
Story first published: Saturday, February 4, 2023, 11:03 [IST]