પંજાબના સ્પીકર કુલતાર સિંહ સંધવાને ચકાસ્યુ મિડ-ડે મિલ, બાળકો સાથે બેસીને જમ્યા
પંજાબ વિધાનસભાના સ્પીકર કુલતાર સિંહ સંધવાને મિડ ડે મીલ ચકાસ્યુ હતુ અને બાળકો સાથે બેસીને ભોજન લીધુ હતુ.
પંજાબ વિધાનસભાના અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાને સોમવારે મધ્યાહન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવામાં આવતુ ભોજન ચકાસ્યુ હતુ. તેમણે કોટકપુરા નજીકના રત્તી રોઢી ગામની સરકારી પ્રાથમિક શાળામાં ભોજન ચકાસ્યુ હતુ. આ પછી તેમણે શાળાના વિદ્યાર્થીઓ સાથે બેસીને ભોજન પણ લીધુ હતુ.

તમને જણાવી દઈએ કે સ્પીકર કુલતાર સિંહ સંધવાન ગામ રત્તી રોઢી સ્થિત પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા. તેમણે નિરીક્ષણ દરમિયાન ખોરાકની ગુણવત્તા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ બાળકોને શિક્ષણની વધુ સારી સુવિધા આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનુ જણાવ્યુ હતુ. આ કડી હેઠળ શાળાઓમાં પીરસવામાં આવતા ભોજનની ચકાસણી કરવાની વાત કરી હતી. સંધવાને સરકારી શાળાઓને સ્વનિર્ભર બનાવીને ગૌરવશાળી બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય જણાવ્યો હતો.
કુલતાર સિંહ સંધવાને કહ્યુ કે પંજાબ સરકાર શિક્ષણના ધોરણને વધારવા માટે મોટા પાયે પ્રયાસો કરી રહી છે. શિક્ષકોના વ્યાવસાયિક કૌશલ્યોને વધારવાના હેતુથી, સરકારે 36 શાળાના આચાર્યોને સિંગાપોરમાં આંતરરાષ્ટ્રીય શિક્ષક તાલીમ કેન્દ્રમાં તાલીમ માટે મોકલ્યા છે. શિક્ષક તાલીમ બાદ તેઓ વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય આધુનિક રીતે શિક્ષણ આપી શકશે.












Click it and Unblock the Notifications
