Punjab News: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વિશાખાપટ્ટનમમાં કરશે વિપશ્યના, જાણો આખો કાર્યક્રમ
Punjab News: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વિપશ્યના માટે પહોંચી ગયા છે. CM માન વિશાખાપટ્ટનમમાં ચાર દિવસ સુધી વિપશ્યના કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ હવે પંજાબના સીએમ ભગવંત માન વિપશ્યના પર જઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ ભગવંત માન વિશાખાપટ્ટનમ જવા રવાના થઈ ગયા છે. અહીં તેઓ ચાર દિવસ સુધી વિપશ્યના કરશે. આ પછી તેઓ શનિવારે સાંજે દિલ્હી પરત ફરશે. ત્યારબાદ 7 અને 8 જાન્યુઆરીએ ગુજરાત જશે.

સીએમ ભગવંત માન ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરશે. આપને જણાવી દઈએ કે આપ સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ 10 દિવસ સુધી વિપશ્યના ધ્યાન પર ગયા હતા. અરવિંદ કેજરીવાલ દિલ્હીથી હોશિયારપુર ગયા હતા.












Click it and Unblock the Notifications
