Punjab : પરિવાર સાથે અયોધ્યા ભગવાન રામના દર્શને જશે મુખ્યમંત્રી ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રામ મંદિર દર્શનને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે, અમે અમારા પરિવારના સભ્યો સાથે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરીશું.
તેઓ તેમના પરિવારના સભ્યો સાથે ભગવાન રામના દર્શન કરશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે 12 ફેબ્રુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેશે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આમ આદમી પાર્ટીએ આ જાણકારી આપી છે. AAP એ કહ્યું કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે તેમના પરિવારના સભ્યો સાથે અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેશે.
આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ પરિવારના સભ્યો સાથે અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેશે.
જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર પહેલાથી જ વડીલોને તીર્થ યાત્રા માટેની યોજના ચલાવી રહી છે. હવે બન્ને મુખ્યમંત્રીઓએ રામના દર્શન કરવાની જાહેરાત કરવાની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
