CAA મામલે પંજાબના CM અમરીંદર સિંહે આપ્યું નિવેદન, કહ્યું મોદીજી બિલ પાછુ લે
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે કેન્દ્ર સરકારને નાગરિકતા સુધારો કાયદો રદ કરવાની અપીલ કરી છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે કેન્દ્ર સરકારને નાગરિકતા સુધારો કાયદો રદ કરવાની અપીલ કરી છે. તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા તમામ શક્ય પગલા ભરવાની વિનંતી કરી છે. અમરિંદરસિંહે ટ્વીટ કર્યું હતું કે, 'દિલ્હીથી નાગરિકતા સુધારણા બિલના વિરોધના સમાચારોથી હું દુ:ખી છું. હું ગૃહ પ્રધાન અમિત શાહ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને અપીલ કરું છું કે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા અને પરિસ્થિતિને વધુ વિકટ બનતા અટકાવવા તમામ શક્ય પગલા લેવામાં આવે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'વહેલી તકે વિવાદિત કાયદો પાછો ખેંચવાની' અપીલ પણ કરી હતી.

આ કાયદો ભારતના બિનસાંપ્રદાયિક સ્વભાવ પર સીધો હુમલો છે, કેપ્ટન અમરિન્દરસિંહે ગુરુવારે કહ્યું કે નાગરિકતા સુધારો અધિનિયમ ભારતના બિનસાંપ્રદાયિક સ્વભાવ પર સીધો હુમલો છે અને સંસદનો બંધારણને ખલેલ પહોંચાડવાનો અને તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરનારો કાયદો પસાર કરવાનો ઇરાદો સાચો નથી. તેમણે કહ્યું હતું કે કોઈપણ કાયદો કે જે "દેશના લોકોને ધાર્મિક આધારો પર વહેંચવાનો પ્રયત્ન કરે છે તે ગેરકાયદેસર અને અનૈતિક છે અને તેને જાળવી શકાય નહીં.
નોંધપાત્ર વાત એ છે કે, દિલ્હીમાં સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટનો વિરોધ કરી રહેલા વિરોધીઓ રવિવારે જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટી નજીક ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. વિરોધીઓએ ચાર ડીટીસી બસો અને પોલીસના બે વાહનોને આગ ચાંપી દીધી હતી. આ અથડામણમાં વિદ્યાર્થીઓ, પોલીસકર્મીઓ અને ફાયરમેન સહિત આશરે 60 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
