CAA મામલે પંજાબના CM અમરીંદર સિંહે આપ્યું નિવેદન, કહ્યું મોદીજી બિલ પાછુ લે
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે કેન્દ્ર સરકારને નાગરિકતા સુધારો કાયદો રદ કરવાની અપીલ કરી છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે કેન્દ્ર સરકારને નાગરિકતા સુધારો કાયદો રદ કરવાની અપીલ કરી છે. તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા તમામ શક્ય પગલા ભરવાની વિનંતી કરી છે. અમરિંદરસિંહે ટ્વીટ કર્યું હતું કે, 'દિલ્હીથી નાગરિકતા સુધારણા બિલના વિરોધના સમાચારોથી હું દુ:ખી છું. હું ગૃહ પ્રધાન અમિત શાહ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને અપીલ કરું છું કે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા અને પરિસ્થિતિને વધુ વિકટ બનતા અટકાવવા તમામ શક્ય પગલા લેવામાં આવે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'વહેલી તકે વિવાદિત કાયદો પાછો ખેંચવાની' અપીલ પણ કરી હતી.

આ કાયદો ભારતના બિનસાંપ્રદાયિક સ્વભાવ પર સીધો હુમલો છે, કેપ્ટન અમરિન્દરસિંહે ગુરુવારે કહ્યું કે નાગરિકતા સુધારો અધિનિયમ ભારતના બિનસાંપ્રદાયિક સ્વભાવ પર સીધો હુમલો છે અને સંસદનો બંધારણને ખલેલ પહોંચાડવાનો અને તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરનારો કાયદો પસાર કરવાનો ઇરાદો સાચો નથી. તેમણે કહ્યું હતું કે કોઈપણ કાયદો કે જે "દેશના લોકોને ધાર્મિક આધારો પર વહેંચવાનો પ્રયત્ન કરે છે તે ગેરકાયદેસર અને અનૈતિક છે અને તેને જાળવી શકાય નહીં.
નોંધપાત્ર વાત એ છે કે, દિલ્હીમાં સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટનો વિરોધ કરી રહેલા વિરોધીઓ રવિવારે જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટી નજીક ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. વિરોધીઓએ ચાર ડીટીસી બસો અને પોલીસના બે વાહનોને આગ ચાંપી દીધી હતી. આ અથડામણમાં વિદ્યાર્થીઓ, પોલીસકર્મીઓ અને ફાયરમેન સહિત આશરે 60 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
