પંજાબની બધી યુનિવર્સિટીમાં એક્ઝીટ ક્લાસની પરીક્ષા 15 જુલાઈ સુધી સ્થગિત
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આજે 15 જુલાઈ સુધી રાજ્યની બધી યુનિવર્સિટીઓમાં એક્ઝીટ ક્લાસની પરીક્ષા સ્થગિત કરવાની ઘોષણા કરી છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આજે 15 જુલાઈ સુધી રાજ્યની બધી યુનિવર્સિટીઓમાં એક્ઝીટ ક્લાસની પરીક્ષા સ્થગિત કરવાની ઘોષણા કરી છે. જો કે અંતિમ નિર્ણય યુનિવર્સિટી અનુદાન પંચ(યુજીસી) તરફથી કોઈ પણ સમયે જારી થનાર નવા દિશાનિર્દેશોના આધીન હશે.
ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્લીમાં પણ વધતા કોરોના પ્રકોપના કારણે દિલ્લી વિશ્વવિદ્યાલયે મોટો નિર્ણય લીધો હતો. 1 જુલાઈથી શરૂ થતા ફાઈનલ યરના છાત્રો માટે ઑપન બુક એક્ઝામ 2020ને 10 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી. ઓપન બુક એક્ઝાન વિશે એક્ઝામિનેશન બ્રાંચ 3 જુલાઈએ નવી ડેટશીટ જારી કરવાના છે. વળી, કોરોનાના કારણે પ્રથમ અને દ્વિતીય વર્ષના છાત્રોએ આગલા વર્ષ કે સેમેસ્ટરનુ જનરલ પ્રમોશન આપી દેવામાં આવ્યુ પરંતુ ફાઈનલ યરના છાત્રોની ઑનલાઈન પરીક્ષા 1 જુલાઈથી શરૂ થવાની હતી.
અમિત શાહના નિવેદન પર 'આપ'નો પલટવારઃ અનલૉકથી વધ્યા કેસ માટે માંગી મદદ