પંજાબઃ MSP અંગે થઈ ચર્ચા, CM ભગવંત માને કહ્યુ - ધરણાના બદલે બેસીને વાત કરવાને આપવા માંગે છે પ્રાથમિકતા
Punjab news: પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે કેન્દ્ર તરફથી ખેડૂતોની માંગણીઓ અંગે મળેલી બેઠકમાં મુખ્યમંત્રી તરીકે, વકીલ તરીકે મેં ખેડૂતોનો પક્ષ રજૂ કર્યો હતો. અમે નથી ઈચ્છતા કે અમારા ખેડૂતો તેમની માંગણીઓ સંતોષવા માટે ફરીથી ટ્રેક્ટરો સાથે બેરિકેડનો સામનો કરે.
સારા વાતાવરણમાં એમએસપી અંગે પણ ચર્ચા થઈ હતી. અમે વિરોધ કરવાને બદલે બેસીને વાત કરવાને પ્રાથમિકતા આપવા માંગીએ છીએ. અમે અમારા ખેડૂતોને કઠોળ ઉગાડવાની તક આપવા વિશે પણ વાત કરી હતી. આ સાથે આપણું પાણી અને પર્યાવરણ બંનેની બચત થશે.

ખેતીના પ્રશ્નોને લઈને અનેક ખેડૂત સંગઠનો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારના ત્રણ કેન્દ્રીય મંત્રીઓએ પણ હાજરી આપી હતી. આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે. અમે અમારા ખેડૂત હીરોને કોઈ નુકસાન નથી ઈચ્છતા.
પંજાબના મુખ્યમંત્રી તરીકે ખેડૂતોની રક્ષા કરવાની મારી ફરજ હતી અને મેં કર્યું. ભવિષ્યમાં અમારે અલગથી મળવું પડશે તો તે પણ કરીશું. કેન્દ્રીય મંત્રીઓએ પણ ઘણા મુદ્દે વાત કરી હતી.
MSP ਨੂੰ ਲੈਕੇ ਵੀ ਵਧੀਆ ਮਾਹੌਲ 'ਚ ਚਰਚਾ ਹੋਈ...ਅਸੀਂ ਧਰਨੇ ਲਗਾਉਣ ਦੀ ਬਜਾਏ ਬੈਠ ਕੇ ਗੱਲਬਾਤ ਕਰਨ ਨੂੰ ਪਹਿਲ ਦੇਣਾ ਚਾਹੁੰਦੇ ਹਾਂ... ਪਰਾਲ਼ੀ ਫੂਕਣ 'ਤੇ ਪਰਚੇ ਕਰਨ ਦੀ ਥਾਂ ਸਾਡੇ ਕਿਸਾਨਾਂ ਨੂੰ ਦਾਲਾਂ ਉਗਾਉਣ ਦੇ ਮੌਕੇ ਦੇਣ ਬਾਰੇ ਵੀ ਕਿਹਾ, ਜਿਸ ਨਾਲ ਸਾਡਾ ਪਾਣੀ ਤੇ ਵਾਤਾਵਰਣ ਦੋਨੋਂ ਬੱਚ ਜਾਣਗੇ... pic.twitter.com/qX8roxnwcK
— Bhagwant Mann (@BhagwantMann) February 9, 2024












Click it and Unblock the Notifications
