પંજાબના નાણા મંત્રી હરપાલ ચિમાએ કહ્યું - શિક્ષા અને આરોગ્ય ક્ષેત્રમાં પરિવર્તન અમારી પ્રાથમિકતા
પંજાબના નાણામંત્રી હરપાલ ચિમાએ જણાવ્યું હતું કે, શિક્ષા અને આરોગ્ય ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવવા માટે પંજાબ સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા છે. યુવા વર્ગ સમાજની કરોડરજ્જુ છે.
ચંદીગઢ : પંજાબના નાણામંત્રી હરપાલ ચિમાએ જણાવ્યું હતું કે, શિક્ષા અને આરોગ્ય ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવવા માટે પંજાબ સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા છે. યુવા વર્ગ સમાજની કરોડરજ્જુ છે. માન સરકાર પંજાબના મુળમાંથી નશાની લતને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ પડકારનો સામનો કરવા માટે તેમની પાસે લાખો યુવાનોની સર્વોચ્ચ શક્તિ છે.

ચિમાને આ પછી આ વાત આર્યન્સ ગૃપ ઓફ કોલેજીસમાં IKG-PTU, જલંધરના યુથ ફેસ્ટના ઉદ્ધઘાટન સમયે આપેલા સંબોધન દરમિયાન કહી હતી.
તેમણે શિક્ષણની સાથે મનોરંજન પર ભાર આપવા માટે ભૂતકાળમાં આર્યન્સ દ્વારા કરાયેલા પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેમણે યુવક મહોત્સવમાં ભાગ લેનાર તમામ કોલેજોના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમની અધ્યક્ષતા આર્યન ગ્રુપના પ્રમુખ ડૉ. અંશુ કટારિયાએ કરી હતી.
IKG-PTU, જલંધરના પશ્ચિમ ક્ષેત્રના વિવિધ જિલ્લાઓમાંથી લગભગ 10 કોલેજોના હજારો વિદ્યાર્થીઓએ યુથ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય નીના મિત્તલ, એડવોકેટ વિક્રમ પાસી, લવિશ મિત્તલ, સહાયક નિયામક યુવા અફેર્સ સુમીર શર્મા હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
