પંજાબમાં ભગવંત માન સરકારે એમએસપી પર મગની ખરીદીની તારીખ લંબાવી, ખેડૂતોને થશે ફાયદો
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ મગના પાકની ખરીદીની તારીખ 10 ઓગસ્ટ સુધી લંબાવી છે.
ચંદીગઢઃ પંજાબમાં મગના ખેડૂતોને મોટી રાહત આપતા મુખ્યમંત્રી ભગવંત માને લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ મગના પાકની ખરીદીની તારીખ 10 ઓગસ્ટ સુધી લંબાવી છે. અગાઉ રાજ્યમાં લઘુત્તમ ટેકાના ભાવે મગના પાકની ખરીદી 31 જુલાઈના રોજ સમાપ્ત થવાની હતી. તેમણે કહ્યુ કે ખેડૂતોને તેમનો પાક વેચવા માટે સુવિધા આપવા માટે રાજ્ય સરકારે આ ખરીદીની સિઝન 10 ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ભગવંત માને કહ્યુ કે જે ખેડૂતોએ હજુ સુધી પોતાનો પાક વેચ્યો નથી તેઓ હવે લંબાયેલી તારીખ સુધી મંડીઓમાં વેચી શકશે.

મુખ્યમંત્રીએ કહ્યુ કે પ્રાપ્તિ માટે રાજ્યની નોડલ એજન્સી, માર્કફેડના મેનેજિંગ ડિરેક્ટર (MD) રામવીરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તેમની સરકારે મગના દાણા સંકોચાઈ જવાના કારણે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવથી ઓછા ભાવે વેચાયેલ મગના પાક માટે1000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધીની રકમ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યુ કે આ રકમ તે તમામ મગની ખેતી કરનારાઓને પણ આપવામાં આવશે જેમણે પોતાનો પાક વેપારીઓને વેચી દીધો છે. ભગવંત માને કહ્યુ કે તેમણે અધિકારીઓને પહેલેથી જ સૂચના આપી દીધી છે કે સંબંધિત ખેડૂતોને આ રકમ ચૂકવવાની પ્રક્રિયા વહેલી તકે સુનિશ્ચિત કરવામાં આવે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રાજ્યમાં 4807 મેટ્રિક ટન ઉનાળુ મગની ખરીદી કરી છે. આ સાથે ખેડૂતોને તેમની ઉપજ માટે રૂ.32.23 કરોડની ચુકવણી કરવામાં આવી છે. જે કુલ ચુકવણીના 92.15 ટકા છે. ભગવંત માને જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં બાકીની ચૂકવણી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ખેડૂતોને પાક વૈવિધ્યકરણ માટે પ્રોત્સાહિત કરવા અને તેમની આવક વધારવા માટે મુખ્યમંત્રીની પહેલ હેઠળ ખેડૂતો પાસેથી ઉનાળુ મગના પાકના લઘુત્તમ ટેકાના ભાવ રૂ.7275 પ્રતિ ક્વિન્ટલના ભાવે સીધી ખરીદી શરૂ કરવામાં આવી હતી. આ પગલાથી ખેડૂતોને ઘઉંની લણણી અને ડાંગરની ખેતી દરમિયાન પ્રતિ એકર પાંચ ક્વિન્ટલની સરેરાશ ઉપજના સંદર્ભમાં 36,000 રૂપિયાની વધારાની આવક થશે. મુખ્યમંત્રીની અપીલને સકારાત્મક ટેકો આપતા રાજ્યના ખેડૂતોએ આ વર્ષે લગભગ એક લાખ એકર વિસ્તારમાં ઉનાળુ મગનુ વાવેતર કર્યુ છે જે ગયા વર્ષે 50,000 એકર વિસ્તારમાં હતુ.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
