વિકાસ કાર્યોના બિલ બનાવવાની સિસ્ટમ ઑનલાઈન કરવાનો નિર્ણય, છેતરપિંડી રોકવા માટે માન સરકારનુ મોટુ પગલુ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિકાસ કાર્યો માટે બિલ બનાવવાની સિસ્ટમને ઓનલાઈન કરવાનો નિર્ણય લીધો છે. આ સમસ્યાના નિરાકરણ માટે સરકારે વિકાસના કામોના બિલ બનાવવાની સિસ્ટમ ઓનલાઈન કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના સૌપ્રથમ લોકલ બોડીઝ ડિપાર્ટમેન્ટમાં લાગુ કરવામાં આવશે, જેથી વિકાસના કામોના બીલ તૈયાર કરતી વખતે કોઈ ગોટાળાને અવકાશ નહીં રહે.

જો કોઈ વિકાસ કામના ફરીથી બિલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો ઑનલાઈનનો સિસ્ટમ દ્વારા તે સામે આવશે કે આ કામ માટે પહેલા ચુકવણી કરવામાં આવી ચૂકી છે. મંત્રી નિજ્જરે જણાવ્યુ હતુ કે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે રસ્તાઓ ખોદવાને કારણે ઘણી સમસ્યા થાય છે.
જેને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપવામાં આવી છે કે, રસ્તાઓ બનાવતા પહેલા નીચે લાઇન નાખવામાં આવે, જેથી પછીથી અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટેના રસ્તાઓ તોડવામાં આવશે નહીં. તેના કારણે રોડ ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે.
મંત્રી નિજ્જરે જણાવ્યુ હતુ કે વિકાસના કામોમાં ગુણવત્તા નિયંત્રણના નિયમોનુ પાલન થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી થોડા સમય પછી રસ્તાઓ તૂટવાની ફરિયાદ ન થાય, જેના માટે કોન્ટ્રાક્ટરોને 5 સુધી રસ્તાની જાળવણી કરવાની શરત આપવામાં આવી છે. જે માટે પાલિકાના અધિકારીઓ દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
