પંજાબવાસીઓ માટે સારા સમાચાર, શરુ થવા જઈ રહ્યા ફ્રી યોગ ક્લાસીસ
પંજાબ સરકાર ટૂંક સમયમાં રાજ્યભરમાં યોગશાળાઓ શરૂ કરશે. આ અભિયાન સીએમ ધ યોગશાળાના નામથી શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત, પ્રમાણિત યોગ પ્રશિક્ષકો યોગ શિક્ષણ દરેક ઘરે પહોંચાડીને લોકોને સ્વસ્થ બનાવશે. AAPના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ અંગે ટ્વિટ કર્યુ છે.

AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ કે જ્યારે વડા પ્રધાને LGને દિલ્હીમાં મફત યોગ વર્ગો બંધ કરવાનો આદેશ આપ્યો, ત્યારે અમે તેને પંજાબમાં શરૂ કર્યો. દિલ્હીમાં, દિલ્હી સરકારના ફ્રી ક્લાસમાં દરરોજ 17,000 લોકો યોગ કરતા હતા. તેનો યોગ બંધ થઈ ગયો. આનાથી કોને ફાયદો થયો? કામ અટકાવનાર કરતા કામ કરનાર મોટો છે. તેમણે પ્રશ્ન પૂછ્યો કે આનાથી કોને ફાયદો થશે. અરવિંદ કેજરીવાલે અંતમાં લખ્યુ કે કામ અટકાવનાર કરતા કામ કરનાર મોટો છે.
પંજાબ સરકાર પંજાબના લોકો માટે વધુ એક મોટી પહેલ કરવા જઈ રહી છે. પંજાબ સરકાર ટૂંક સમયમાં રાજ્યમાં યોગશાળા શરૂ કરવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભગવંત માન યોગશાળા નામનું અભિયાન શરૂ કરશે, જેમાં યોગ શિક્ષણ મફત આપવામાં આવશે. આમાં, પ્રમાણિત યોગ પ્રશિક્ષકો પંજાબમાં ઘરે-ઘરે જઈને યોગ શિક્ષણ આપશે.
પંજાબની યોગશાળા હાલ 4 શહેરોમાંથી શરૂ થશે. પ્રથમ તબક્કામાં સીએમ અમૃતસર, લુધિયાણા, ફગવાડા અને પટિયાલામાં યોગશાળા બનાવશે. તે થોડા મહિનામાં સમગ્ર રાજ્યમાં મોટા પાયે લૉન્ચ કરવામાં આવશે. ગુરુ રવિદાસ આયુર્વેદ યુનિવર્સિટી હોશિયારપુરે અહીં નિમણૂક કરવા માટે યોગ પ્રશિક્ષકોને તાલીમ આપી છે.












Click it and Unblock the Notifications
