અમૃતપાલ સિંહ સામે મોટી કાર્યવાહી, પંજાબ સરકારે લગાવ્યો NSA, હાઈકોર્ટે ઈન્ટેલિજન્સ નિષ્ફળતા ગણાવી
ખાલિસ્તાન તરફી સંગઠન વારિસ પંજાબ દેનો ચીફ અમૃતપાલ સિંહ હાલ ફરાર છે. પોલીસ તેની શોધખોળમાં લાગેલી છે. આ દરમિયાન આજે અમૃતપાલ વિરુદ્ધ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાલિસ્તાન સમર્થક સંગઠન 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલ સિંહ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં પંજાબ સરકારે અમૃતપાલ સિંહ વિરુદ્ધ નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) લગાવ્યો છે. આ કાયદાના અમલ બાદ સરકાર હવે વધુ કડક કાર્યવાહી કરશે. તમને જણાવી દઈએ કે ખાલિસ્તાની ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા અને પંજાબમાં વાતાવરણ બગાડવા બદલ અમૃતપાલ સિંહ પર કાર્યવાહી કરવા માટે પોલીસ તેની શોધમાં ઝંપલાવી રહી છે. જોકે અમૃતપાલ હજુ સુધી પોલીસના હાથે ઝડપાયો નથી પરંતુ પોલીસના પ્રયાસો ચાલુ છે.

હાઈકોર્ટે પંજાબ સરકારને ફટકાર લગાવી
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ એડવોકેટ ઈમાન સિંહ ખારા દ્વારા દાખલ કરાયેલ હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં અમૃતપાલ સિંહને કથિત પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. જ્યારે જસ્ટિસ એન.એસ. શેખાવતે પંજાબના એડવોકેટ જનરલ વિનોદ ઘાઈને પૂછ્યું કે જ્યારે સમગ્ર ઑપરેશન સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમૃતપાલ સિંહે પોલીસને કેવી રીતે ચકમો આપ્યો અને તેને ઈન્ટેલિજન્સ નિષ્ફળતા ગણાવી.

અમૃતપાલ ફરાર થયો હતો તે કાર પોલીસના હાથે લાગી
પંજાબ પોલીસના આઈજીપી સુખચૈન સિંહ ગિલે કહ્યું કે મારુતિ સુઝુકી બ્રેઝા જેમાં અમૃતપાલ ભાગી ગયો હતો તેને પોલીસે જપ્ત કરી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર અમૃતપાલને ભાગવામાં 4 લોકોએ મદદ કરી હતી. આ ચારેય વિરૂદ્ધ આર્મ્સ એક્ટની અરજી કરવામાં આવી છે.

રાસુકા (NSA) શું છે?
ઈન્દિરા ગાંધીની સરકાર દરમિયાન 23 સપ્ટેમ્બર 1980ના રોજ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) અથવા રાસુકા અમલમાં આવ્યો હતો. આ કાયદો રાજ્ય અને કેન્દ્ર સરકારને એવી વ્યક્તિની અટકાયત કરવાની સત્તા આપે છે જે રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે. નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) એ જોગવાઈ કરે છે કે સરકાર શંકાસ્પદ વ્યક્તિને 12 મહિના સુધી કોઈ આરોપ વિના અટકાયતમાં રાખી શકે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
