પંજાબ સરકાર અમૃતસરની ગુરુ નાનક દેવ હોસ્પિટલને PGIની જેમ વિકસાવાશે!
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની વાળી સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના વાયદા મુજબ હવે આરોગ્ય ક્ષેત્રે મોટા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.
અમૃતસર : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની વાળી સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના વાયદા મુજબ હવે આરોગ્ય ક્ષેત્રે મોટા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. હવે પંજાબ સરકાર ગુરુ નાનક દેવ હોસ્પિટલને આધુનિક બનાવવા દઈ રહી છે.

અમૃતસરની ગુરૂનાનક હોસ્પિટલને પીજીઆઈની જેમ જ આધુનિક મશીનો સાથે અદ્યતન કરવામા આવશે. આ તમામ સુવિધાઓ પછી કોઈપણ દર્દીને અન્ય જગ્યાઓ પર રિફર કરવાની જરૂરત રહેશે નહીં. પંજાબ સરકારના આરોગ્ય મંત્રી ચેતન સિંહ જૌડા માજરાએ મેડિકલ કોલેજમાં ડોક્ટરો સાથે બેઠક દરમિયાન આ જાહેરાત કરી હતી.
આરોગ્યમંત્રીએ કહ્યું કે, આ સમયે પંજાબની મુખ્ય જરૂરિયાત શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવી એ છે. આજે સૌથી મોટી જરૂરિયાત સરકારી હોસ્પિટલોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાની અને તેમાં જોવા મળતી ખામીઓને દૂર કરવાની છે. તબીબોને અપીલ કરતાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે જો કોઈ દર્દી સરકારી હોસ્પિટલમાં આવે તો તેની સાથે સહાનુભૂતિ રાખો અને તેની સાથે દ્વેષ ન કરો. સરકારી દવાખાનામાં માત્ર મધ્યમવર્ગ અને ગરીબ વર્ગના લોકો જ આવે છે અને દર્દીઓને સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવી એ સૌની ફરજ છે.
આરોગ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, સમયના સાથી બનવું જોઈએ અને જૂના ઢાંચાને નષ્ટ કરવો જોઈએ. આરોગ્ય વિભાગ પાસે ભંડોળની કોઈ અછત નથી.
ડોકટરોની જે પણ જરૂરિયાતો હશે તે પહેલના ધોરણે ઉકેલવામાં આવશે. ટૂંક સમયમાં સુપર સ્પેશિયાલિટી ડોકટરોની અછત દૂર થશે. આરોગ્ય વિભાગમાં જે જગ્યાઓ ખાલી છે તેના પર ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જે હોસ્પિટલોનું નિર્માણ થઈ રહ્યું છે તેની નવી ઈમારતો સંપૂર્ણપણે સેન્ટ્રલ એસી હેઠળ હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેની સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી આવશ્યક છે.
આ દરમિયાન મેડિકલ કોલેજ દ્વારા આરોગ્યમંત્રીનું ધ્યાન દોરાયુ કે, અનેક જગ્યાઓ પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, મેડિકલ કોલેજની જમીનની ઓળખ કરી ગેરકાયદેસર રીતે લોકોના કબજામાંથી મુક્ત કરવામાં આવશે.
તેમણે આગળ કહ્યું કે, કોરોના રોગચાળા દરમિયાન જે કર્મચારીઓને ફરજમાંથી બહાર કરાયા હતા તેમને પણ ટૂંક સમયમાં એડજસ્ટ કરવામાં આવશે. બરતરફ કરાયેલા કર્મચારીઓને અપીલ કરતાં તેમણે કહ્યું કે, તમે ધરણા કે ઉતાવળ ન કરો, તમામની ચોક્કસ ખાતરી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પંજાબ સરકારને સત્તામાં આવ્યાને માત્ર 6 મહિના થયા છે અને તેણે 6 મહિનામાં લોકોને આપેલા વચનો પૂરા કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા વર્ષો દરમિયાન બનેલી સરકારી હોસ્પિટલોની બિલ્ડીંગોની પણ તપાસ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
