Punjab News : નેશનલ હાઈવે પર તમામ પ્રકારના ટોલ ફ્રી, માન સરકારે જનતાને આપી ભેટ
Punjab News : જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
અધિકારીઓ અને કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં પંજાબ સરકારે નેશનલ હાઈવે પર તમામ પ્રકારના ટોલ ફ્રી કરી દીધા છે.

ભગવંત માન સરકારે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, કાર્યકારી ઈજનેર, એસડીઓ, જેઈ, પટવારી, જીલાદાર, નાયબ કલેક્ટર જળ સંસાધનોને હવે ટોલ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
આ તમામને ફરજ પર હોય, ત્યારે નેશનલ હાઈવે પર તમામ પ્રકારના ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. અગ્ર સચિવ જળ સંસાધનોએ આ સંદર્ભે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની હરિયાણા અને પંચકુલાની પ્રાદેશિક કચેરીને પણ જાણ કરી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમના પત્રમાં તે તમામ અધિકારીઓ-કર્મચારીઓની કેટેગરી વિશે પણ માહિતી આપી છે, જેમને મુક્તિ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
