Punjab News : CM ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, કોન્ટ્રાક્ટ બેઝ 8700 શિક્ષકોને કાયમી કર્યા
Punjab News : જ્યારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
પંજાબ સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર નિયુક્ત 8700 શિક્ષકોને કાયમી કરવામાં આવ્યા છે. આ શિક્ષકોના પગાર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. નાણા વિભાગ દ્વારા આ પગાર નક્કી કરીને શિક્ષણ વિભાગને મોકલવામાં આવ્યો છે.

જેમાં શિક્ષણ પ્રદાતાઓનો પગાર 9,500 રૂપિયાથી વધારીને 20,500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો છે. ETT અને NTT શિક્ષકોને દર મહિને રૂપિયા 22,000 મળશે, જે અગાઉ રૂપિયા 10,250 હતા. આવી રીતે IE સ્વયંસેવકોનો પગાર 5,500 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
