Punjab News : CM માને પટિયાલામાં લહેરાવ્યો તિરંગો, કહ્યું- પક્ષને નહીં પણ ગામના સરપંચને પસંદ કરો

Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મંગળવારના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે પટિયાલામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પછી તેમણે મુખ્ય સચિવ અનુરાગ વર્મા અને ડીજીપી ગૌરવ યાદવ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મોટાભાગના શહીદો પંજાબી હતા. પંજાબીઓએ દેશને આઝાદ કર્યો હતો, અને આ સ્વતંત્રતા કેવી રીતે જાળવી રાખવી તે પણ તેઓ જાણે છે.

Punjab News

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, જ્યારે પણ દુશ્મનો તરફથી ગોળી ચલાવવામાં આવે છે, ત્યારે સૌથી પહેલા છાતી પંજાબીઓની હોય છે.

વિપક્ષી પાર્ટીઓ પર કટાક્ષ કરતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તેમને દેશભક્તિ શું છે તે ન જણાવવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી પછી દેશ કયા હાથમાં જશે, તે સૌથી મોટી ચિંતા હતી. 76 વર્ષથી દેશની બાગડોર આપણા હાથમાં છે અને આપણે દેશ માટે શું કર્યું છે તે જણાવવાનું છે. તેમણે બાળકોને દેશનો ઈતિહાસ જાણવા કહ્યું.

14 ઓગસ્ટ ભાગલાનો દર્દનાક દિવસ - પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ગઈકાલે 14 ઓગસ્ટનો દિવસ ભાગલાનો દર્દનાક દિવસ હતો. 10 લાખ લોકો માર્યા ગયા, સર્વત્ર લોહીલુહાણ લોકો હતા. બધા તેમના પોતાના પરિવારના સભ્યો અને સંબંધીઓ હતા. પંજાબ અને લોકો વિભાજિત થયા. તેથી જ આઝાદી પંજાબને વધુ મોંઘી પડી. તેમણે જણાવ્યું હતું કે, ઈતિહાસ યાદ રાખવો ખૂબ જ જરૂરી છે.

સંસદમાં છોટે સાહિબજાદોને શ્રદ્ધાંજલિ - પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, સંસદ સભ્ય હોવાના સમયે તેમણે સ્પીકર સુમિત્રા મહાજનને સ્વતંત્રતા દિવસ પર છોટે સાહિબજાદોને શ્રદ્ધાંજલિ આપવા કહ્યું હતું. સ્પીકરે તેમને જણાવ્યું હતું કે, આજ સુધી આવું ક્યારેય કરવામાં આવ્યું નથી, પરંતુ તેમને આ માંગણીને રેકોર્ડ પર લાવવા જણાવ્યું હતું.

આના પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સંસદમાં વિરોધ કરી રહેલા સાંસદોને સાહિબજાદાઓની શ્રદ્ધાંજલિ માટે શાંત રહેવાની અપીલ કરી હતી. માને જણાવ્યું હતું કે, તેઓ ખુશ છે કે, આ ફરજ તેમને સોંપવામાં આવી છે, જ્યારે અન્ય કોઈ મુખ્યમંત્રીએ આવું ક્યારેય કર્યું નથી.

બાબા ફતેહ સિંહ અને બાબા જોરાવર સિંહને યાદ કરીને, મુખ્યમંત્રી માનને દિવાલમાં કોતરવામાં આવ્યાની ઘટનાને યાદ કરી હતી. તેઓએ તેમની પરસ્પર વાતચીતના અંશો પણ શેર કર્યા હતો. તેમણે જણાવ્યું હતું કે, આવો બલિદાન ઇતિહાસમાં જોવા મળતો નથી અને તેઓ ખુશ છે કે, સંસદમાં આ શહાદત રેકોર્ડ પર આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X