Punjab News : કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીને મળ્યા CM માન, આ મુદ્દે કરી ચર્ચા
Punjab News : જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીના પ્રવાસે ગયા છે અને આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માન આજે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીને મળ્યા હતા. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કર્યું હતું કે, આજે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીજીને મળ્યા અને પંજાબના શહેરો સાથે સંબંધિત અનેક બાબતો પર ચર્ચા કરી હતી.
પંજાબના ઘણા શહેરો, ખાસ કરીને મોહાલીને સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી, તેમજ પંજાબના શહેરોમાં સ્વચ્છતા માટે નવા પ્રોજેક્ટ્સ પર વિચારમંથન કરવામાં આવ્યું હતું.
ગુરુ નગરી શ્રી અમૃતસર સાહિબની સુંદરતા વિશે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આના એક દિવસ પહેલા મુખ્યમંત્રી ભગવંત માનને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે તેમના ઘરે ખાસ મુલાકાત કરી હતી.












Click it and Unblock the Notifications
