Punjab News : પૂરમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને મળશે તાત્કાલિક સહાય, CM માને કરી જાહેરાત
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.
હાલ પંજાબમાં પૂરનો પ્રકોપ ચાલી રહ્યો છે. ભગવંત માન સરકાર પૂર પ્રભાવિતોની મદદ માટે સતત ખડેપગે કામ કરી રહી છે. પંજાબ રાજ્ય સરકારે પૂરમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રાહત ફંડમાંથી તાત્કાલિક રકમ આપવા સૂચના આપી છે.

મહેસૂલ મંત્રી બ્રહ્મશંકર ઝિમ્પાએ ટોચના અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન આ સૂચના આપી હતી. મંત્રી ઝિમ્પાએ માહિતી આપી હતી કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પૂર પીડિતો માટે વધુ રૂપિયા 71.50 કરોડ જાહેર કરશે. તમામ ડેપ્યુટી કમિશનરોને પૂર પ્રભાવિત લોકો સુધી રાશન અને દવાઓની પહોંચ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, માનવ જીવન અને સંપત્તિ તેમજ નિરાધાર પશુઓને બચાવવા માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
