Punajb News: ખેડૂતો માટે સાર સમાચાર, વોટર સેસ નાબૂદ કરશે પંજાબ સરકાર
Punjab News: પંજાબની ભગવંત માન સરકાર જનતાના હિતમાં સતત એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહી છે. આ સિરીઝમાં હવે ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પંજાબ સરકાર ભૂગર્ભજળના ઘટી રહેલા સ્તરને સુધારવા માટે મોટા પગલા લઈ રહી છે.
મીડિયા અહેવાલો અનુસાર, માન સરકાર ખેડૂતો પાસેથી વસૂલવામાં આવતા વોટર સેસને નાબૂદ કરવાની તૈયારી કરી રહી છે. જેને લઈને પંજાબ સરકારે પોતાના સ્તરે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.

આવા સંજોગોમાં જો આ યોજના અમલમાં આવે, તો ખેડૂતોને નહેરના પાણીના ઉપયોગ માટે કોઈ બિલ ચૂકવવું પડશે નહીં, જોકે, ઘણા
વર્ષોથી સરકાર ખેડૂતો પાસેથી સંપૂર્ણ સેસ પણ વસૂલતી નથી, પરંતુ કરોડોની રકમ ખેડૂતો પાસેથી રૂપિયા બાકી છે.
પાણી પુરવઠા વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ, આ સેસ 100 રૂપિયા પ્રતિ એકર છે. સરકારનો ઉદ્દેશ્ય આને નાબૂદ કરવાનો છે અને ખેડૂતોએ ભૂગર્ભજળને બદલે નહેરના પાણીનો વધુ ઉપયોગ કરવો જોઈએ, તેથી નહેરો અને તળાવોની સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
પંજાબની માન સરકારની સિદ્ધિઓનું વર્ણન કરતાં કેબિનેટ મંત્રી મીત હેયરે જણાવ્યું હતું કે, સરકારે 40 વર્ષ બાદ ખેતરોને નહેરનું પાણી પૂરું પાડ્યું છે. 13,000 થી વધુ તળાવોનું સમારકામ કરવામાં આવ્યું છે, જેનો ખેડૂતોને ફાયદો થશે. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
