Punjab News : હરમિંદર સાહેબથી ગુરુવાણીનું મફત પ્રસારણ થશે, CM માને લીધો નિર્ણય
Punjab News : જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રવિવારના રોજ જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર શીખ ગુરુદ્વારા અધિનિયમ 1925માં સંશોધન કરશે, જેથી અમૃતસરમાં હરમંદિર સાહેબથી ગુરુવાણીનું પ્રસારણ તમામ માટે નિશુલ્ક કરવામાં આવી શકે.

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી પંજાબ સરકાર 20 જૂનના રોજ વિશેષ સત્ર દરમિયાન વિધાનસભામાં આ પ્રસ્તાવ રજૂ કરશે.
જે દરમિયાન, ભારતીય જનતા પાર્ટી અને શિરોમણી અકાલી દળએ આ જાહેરાતનો વિરોધ કર્યો અને તેને શીખ ધર્મની ધાર્મિક બાબતોમાં દખલગીરી ગણાવી. પંજાબના ભગવંત માને આ જાહેરાત કરતાની સાથે જ શીખ ગુરુદ્વારા અધિનિયમ 1925માં દખલ કરવાનો પ્રયાસ કરવા બદલ ભાજપ અને SAD બંને તરફથી પ્રતિક્રિયા મળી.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા આરપી સિંહે ટ્વિટ કર્યું કે, ભગવંત માન શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ની સાર્વભૌમત્વને પડકારવા માંગે છે. શીખ ગુરુદ્વારા અધિનિયમ 1925 માં સુધારો કોઈપણ રીતે માન્ય અથવા યોગ્ય માનવામાં આવશે નહીં. કારણ કે, તે ફક્ત ભારતની સંસદ દ્વારા જ સુધારી શકાય છે.
SGPC પ્રમુખ હરજિન્દર સિંહ ધામીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, તેમણે શીખ ગુરુદ્વારા એક્ટ, 1925ના ફકરાઓ વાંચ્યા. તેથી એક્ટમાં સ્પષ્ટ છે કે, રાજ્ય સરકાર (આ મામલે) દખલ કરી શકે નહીં.
દિલ્હીમાં બેઠેલા રાજકીય ગુરુને ખુશ કરવાના પ્રયાસમાં ધાર્મિક મુદ્દાને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. પંજાબ સરકાર આ અધિનિયમ બનાવી શકતી નથી. કારણ કે, તેણે ભાગલા પહેલા તૈયાર કર્યું હતું. તે તેને સુધારી શકતો નથી.
આવા સમયે કોંગ્રેસના સુખપાલ સિંહ ખૈરાએ પણ આ અંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને સવાલ કર્યા હતા. તેમણે ટ્વીટ કર્યું કે, પંજાબ સરકાર વર્તમાન શીખ ગુરુદ્વારા અધિનિયમ 1925ને કેન્દ્રીય અધિનિયમ તરીકે ન તો ટિંકર કરી શકે છે કે ન તો તેમાં સુધારો કરી શકે છે.
ખૈરાએ વધુમાં જણાવ્યું હતું કે, મને આશ્ચર્ય થાય છે કે, ભગવંત માન આ એક્ટમાં કલમ ઉમેરવા માટે કેવી રીતે બોલી રહ્યા છે. હા, વિધાનસભા એક ઠરાવ પસાર કરી શકે છે અને તેમની માંગણીઓ ઉમેરવા માટે કેન્દ્રને મોકલી શકે છે. મારા ટ્વિટનો હેતુ એ પ્રશ્ન છે કે, શું રાજ્ય સરકાર આમ કરવા માટે હકદાર છે?












Click it and Unblock the Notifications
