Punjab News : માન સરકારે કરી આરોગ્ય વિભાગના વરિષ્ઠ તબીબી અધિકારીની બદલી
Punjab News : જ્યારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. પંજાબ સરકારે આરોગ્ય વિભાગમાં 3 જિલ્લામાં મોટા પાયે વરિષ્ઠ તબીબી અધિકારીઓની બદલી કરી છે.
પંજાબ સરકારે અધિકારીઓને ટૂંક સમયમાં નવી પોસ્ટિંગમાં જોડાવા જણાવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલા અનેક ટ્રાન્સફર ઓર્ડર પણ રદ્દ કર્યા છે.

નવા આદેશો મુજબ, ડૉ મદન મોહનને સીએચસી રામદાસમાંથી સિવિલ હોસ્પિટલ અમૃતસરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જ્યારે સિવિલ હોસ્પિટલના એસએમઓ ડૉ રાજુ ચૌહાણને પીએચસી સુત્રાણા ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
ડૉ અનીતાને SDS બાબા બકાલા સાહિબથી ખડૂર સાહિબ અને ડૉ નીરજ ભાટિયાની ખડૂર સાહિબથી બાબા બકાલામાં બદલી કરવામાં આવી છે.
આવી જ રીતે જલંધરમાં પણ મોટા પાયે ટ્રાન્સફર કરવામાં આવી છે. ડૉ જ્યોતિ ફોકેલાને કેન્દ્રીય અને બાળ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, જલંધરમાંથી સહાયક સિવિલ સર્જન, જલંધર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ ડૉ. વરિન્દર થીંડને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
ડૉ અનુ ડોગલાને CHC થડા ગામ જલંધરમાંથી મોબાઈલ યુનિટ સિવિલ હોસ્પિટલ જલંધર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમની જગ્યાએ ડૉ અમિતા લુનાને મોકલવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
