Punjab News: ગેરકાયદેસર દારૂ પર અંકુશ લાવશે માન સરકાર, આ રીતે બંધ થશે ડ્રગ્સનો વેપાર
Punjab News: પંજાબમાં ગેરકાયદેસર દારૂ પર અંકુશ મેળવવા માટે આમ આદમી પાર્ટીની સરકાર નવી વ્યૂહરચના પર કામ કરશે. હવે જોન્સના આધારે પંજાબમાંથી ભેળસેળવાળો દારૂ હટાવવામાં આવશે.
પંજાબના જલંધર, પટિયાલા અને ફિરોઝપુરમાં ત્રણ ઝોન બનાવવામાં આવશે. અહીંથી આબકારી અને વેરા વિભાગની ટીમ ભેળસેળવાળો દારૂ પકડવા માટે રેડ કરવામાં આવશે.

AAP પાર્ટીએ ટ્વિટ કરીને આપી જાણકારી - આમ આદમી પાર્ટી પંજાબે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ભેળસેળયુક્ત દારૂ પર પ્રતિબંધ લગાવશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સરકારની નવી રણનીતિ અપનાવવામાં આવશે. આ સાથે જણાવવામાં આવ્યું હતું કે, ગેરકાયદેસર દારૂ પીવા અને ડ્રગ્સને સૂંધવા માટે દરેક ઝોનમાં સ્નાઈપર ડોગને કોલ પર રાખવામાં આવશે.
જલંધર, પટિયાલા અને ફિરોઝપુર ઝોનમાંથી સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દારૂની ભઠ્ઠીઓ પર નજર રાખવામાં આવશે. આ માટે સરકાર 50 લાખ રૂપિયા સુધીનું બજેટ ખર્ચ કરશે. આ માટે સરકાર દ્વારા SOP તૈયાર કરવામાં આવી રહી છે.
ભેળસેળયુક્ત શરાબના કારણે થાય છે મોત - નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર, વર્ષ 2021ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભેળસેળયુક્ત દારૂના સેવનથી સેંકડો લોકોના મોત થયા છે. ગેરકાયદેસર દારૂની દાણચોરીની 708 ઘટનાઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, તે સમયે દેશમાં ભેળસેળયુક્ત દારૂના કારણે 782 લોકોના મોત થયા હતા.
ઉત્તર પ્રદેશમાં ભેળસેળયુક્ત દારૂના સેવનથી 137 લોકોના મોત બાદ પંજાબ આવું બીજું રાજ્ય છે. જ્યાં સૌથી વધુ લોકોના મોત ગેરકાયદેસર દારૂના કારણે થયા છે. પંજાબમાં 127 લોકોના મોત ભેળસેળયુક્ત દારૂના કારણે થયા છે. આ સાથે મધ્યપ્રદેશમાં 106ના મોત. જ્યારે કર્ણાટકમાં 104 લોકોના મોત થયા છે.
ગેરકાયદેસર દારૂની દાણચોરી અને ડ્રગ્સની ઉપલબ્ધતા એ રાજ્ય માટે સામાજિક અને રાજકીય ચિંતાનો વિષય બની ગયો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યના વિવિધ ભાગોમાં નદીઓ અને નહેરોના કિનારે વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે.
मिलावटी शराब पर रोक लगाएगी 🔴 @BhagwantMann सरकार की नई रणनीति!
— AAP Punjab (@AAPPunjab) November 26, 2023
▶️ अवैध शराब को सूंघने के लिए प्रत्येक जोन में रखा जाएगा ऑन कॉल पर एक स्निफर डॉग
▶️ जालंधर, पटियाला और फिरोजपुर जोन से राज्यभर की अवैध शराब की भट्टियों पर रखी जाएगी नजर
₹50 लाख तक के खर्च का बजट रखा, SOP तैयार… pic.twitter.com/EEctNwH08L
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
