Punjab News: ગેરકાયદેસર દારૂ પર અંકુશ લાવશે માન સરકાર, આ રીતે બંધ થશે ડ્રગ્સનો વેપાર
Punjab News: પંજાબમાં ગેરકાયદેસર દારૂ પર અંકુશ મેળવવા માટે આમ આદમી પાર્ટીની સરકાર નવી વ્યૂહરચના પર કામ કરશે. હવે જોન્સના આધારે પંજાબમાંથી ભેળસેળવાળો દારૂ હટાવવામાં આવશે.
પંજાબના જલંધર, પટિયાલા અને ફિરોઝપુરમાં ત્રણ ઝોન બનાવવામાં આવશે. અહીંથી આબકારી અને વેરા વિભાગની ટીમ ભેળસેળવાળો દારૂ પકડવા માટે રેડ કરવામાં આવશે.

AAP પાર્ટીએ ટ્વિટ કરીને આપી જાણકારી - આમ આદમી પાર્ટી પંજાબે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ભેળસેળયુક્ત દારૂ પર પ્રતિબંધ લગાવશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સરકારની નવી રણનીતિ અપનાવવામાં આવશે. આ સાથે જણાવવામાં આવ્યું હતું કે, ગેરકાયદેસર દારૂ પીવા અને ડ્રગ્સને સૂંધવા માટે દરેક ઝોનમાં સ્નાઈપર ડોગને કોલ પર રાખવામાં આવશે.
જલંધર, પટિયાલા અને ફિરોઝપુર ઝોનમાંથી સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દારૂની ભઠ્ઠીઓ પર નજર રાખવામાં આવશે. આ માટે સરકાર 50 લાખ રૂપિયા સુધીનું બજેટ ખર્ચ કરશે. આ માટે સરકાર દ્વારા SOP તૈયાર કરવામાં આવી રહી છે.
ભેળસેળયુક્ત શરાબના કારણે થાય છે મોત - નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર, વર્ષ 2021ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભેળસેળયુક્ત દારૂના સેવનથી સેંકડો લોકોના મોત થયા છે. ગેરકાયદેસર દારૂની દાણચોરીની 708 ઘટનાઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, તે સમયે દેશમાં ભેળસેળયુક્ત દારૂના કારણે 782 લોકોના મોત થયા હતા.
ઉત્તર પ્રદેશમાં ભેળસેળયુક્ત દારૂના સેવનથી 137 લોકોના મોત બાદ પંજાબ આવું બીજું રાજ્ય છે. જ્યાં સૌથી વધુ લોકોના મોત ગેરકાયદેસર દારૂના કારણે થયા છે. પંજાબમાં 127 લોકોના મોત ભેળસેળયુક્ત દારૂના કારણે થયા છે. આ સાથે મધ્યપ્રદેશમાં 106ના મોત. જ્યારે કર્ણાટકમાં 104 લોકોના મોત થયા છે.
ગેરકાયદેસર દારૂની દાણચોરી અને ડ્રગ્સની ઉપલબ્ધતા એ રાજ્ય માટે સામાજિક અને રાજકીય ચિંતાનો વિષય બની ગયો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યના વિવિધ ભાગોમાં નદીઓ અને નહેરોના કિનારે વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે.
मिलावटी शराब पर रोक लगाएगी 🔴 @BhagwantMann सरकार की नई रणनीति!
— AAP Punjab (@AAPPunjab) November 26, 2023
▶️ अवैध शराब को सूंघने के लिए प्रत्येक जोन में रखा जाएगा ऑन कॉल पर एक स्निफर डॉग
▶️ जालंधर, पटियाला और फिरोजपुर जोन से राज्यभर की अवैध शराब की भट्टियों पर रखी जाएगी नजर
₹50 लाख तक के खर्च का बजट रखा, SOP तैयार… pic.twitter.com/EEctNwH08L
-
સૂર્યકુમાર યાદવે બુમરાહને રાષ્ટ્રિય ધરોહર ગણાવ્યો -
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ








Click it and Unblock the Notifications
