Punjab News : ગ્રામીણ વિસ્તારોમાં માન સરકાર સ્થાપશે ફેક્ટરીઓ, ઉદ્યોગપતિઓને આપ્યું આમંત્રણ
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ઉદ્યોગપતિઓને ગ્રામીણ વિસ્તારોમાં ફેક્ટરીઓ સ્થાપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, જો ઉદ્યોગપતિઓ ગ્રામીણ વિસ્તારોમાં કારખાનાઓ લગાવે તો બે ગણો લાભ થશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં ફેક્ટરીઓ સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. બીજી તરફ યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે. આ સાથે તેઓએ તેમના ગામ છોડીને અન્ય જગ્યાએ કામ કરવા માટે નહીં જવું પડે.

આ દરમિયાન મુખ્યમંત્રી માને ઉદ્યોગપતિઓને ન માત્ર આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમને આ ક્ષેત્રોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી પણ આપી હતી. મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પંજાબની ધરતી પર ઉદ્યોગોના વિકાસને વેગ આપવા પ્રતિબદ્ધ છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, સરકાર ઉદ્યોગપતિઓને સંપૂર્ણ સુરક્ષા અને સુવિધાઓ પૂરી પાડશે. પંજાબ સરકાર ટૂંક સમયમાં જલંધરમાં કન્વેન્શન સેન્ટર બનાવવા જઈ રહી છે. આ કન્વેન્શન સેન્ટર એરપોર્ટ અને રેલવે સ્ટેશન નજીક બનાવવામાં આવશે.
CM માને જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિઓને સારી સુવિધા મળી રહે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવશે. MSME સેક્ટરમાં રાજ્યએ સમગ્ર દેશમાં જીત મેળવી છે, તે ખૂબ જ ગર્વની વાત છે.
CM માને કહ્યું કે, રાજ્યમાં 2 લાખ 75 હજાર MSME એકમો નોંધાયા છે. MSME કોઈપણ રાજ્ય અને દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મોટી ભૂમિકા ભજવે છે.
રાજ્યમાં ધંધાનો વિકાસ થાય અને લોકોને રોજગારી મળે તે માટે યોગ્ય અને સલામત વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. નવી પોલિસી તૈયાર કરવામાં આવી છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, સરકાર ફોકલ પોઈન્ટ બાંધકામ માટે સીએસઆર ફંડ અંગે નવી નીતિ પર કામ કરી રહી છે. તેમજ ફોકલ પોઈન્ટ અને ઔદ્યોગિક વિસ્તારોમાં પોલીસ ચોકીઓ ઉભી કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
