Punjab News : પૂરના પ્રકોપ વચ્ચે CM માન બોલ્યા - લોકોને મદદ પહોંચાડવાની અમારી પ્રાથમિકતા
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. હાલ પંજાબમાં પૂરનો પ્રકોપ છે. આ વચ્ચે સરકાર સતત લોકો માટે કામ કરી તેમની સાથે ખડેપગે ઉભી છે.
પંજાબના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભગવંત માનનું રાહત નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, પંજાબમાં પાણીની સ્થિતિના ક્ષણ-ક્ષણના અહેવાલોના આધારે વહીવટીતંત્રને અપડેટ કરવામાં આવી રહ્યું છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ સહાય પૂરી પાડવાની અમારી પ્રાથમિકતા છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તમામ ડેમ સુરક્ષિત છે અને ખતરાના નિશાનથી નીચે છે. એવી આશા છે કે, આજે સાંજ સુધીમાં પંજાબમાં સ્થિતિમાં ઘણો સુધારો થશે. કોઈપણ પ્રકારના નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર લોકોની પડખે ઊભી રહેશે.
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને રાજ્યભરમાં મુશળધાર વરસાદને કારણે લોકોને થયેલા નુકસાનના દરેક પૈસા વળતર આપવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ દરેક ક્ષણે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને રાજ્યભરમાંથી નિયમિત રિપોર્ટ લઈ રહ્યા છે.
CM ભગવંત માને જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા કરવી રાજ્ય સરકારની ફરજ છે. તેમણે જણાવ્યું હતું કે, મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ નીચાણવાળા અને પૂરની સંભાવનાવાળા વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, જેથી આ વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
