Punjab News : પંજાબ વિધાનસભા બનશે પેપરલેસ, માન સરકાર લેશે આ પગલા
Punjab News : જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ સાથે પર્યાવરણ માટે પણ માન સરકાર સતત ઉમદા કાર્યવાહી કરી રહી છે.
આ વચ્ચે પંજાબ વિધાનસભાના સ્પિકર કુલતાર સિંહ સંધાવાએ જાહેરાત કરી હતી કે, વાતાવરણ-પક્ષીય પહેલ અંતર્ગત પંજાબ વિધાનસભાના સદનમાં તમામ કામગીરી ટૂંક સમયમાં પેપરલેસ થશે.

સ્પીકરે માહિતી આપી હતી કે, બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, પર્યાવરણને અનુકૂળ પહેલ તરીકે, સરકારે તમામ ધારાસભ્યોના હાઉસ ઓનલાઇન ડેસ્ક પર ટેબ્લેટ લગાવવાનું કામ શરૂ કર્યું છે, જેનાથી કાર્યવાહી આગળ વધશે.
આ સાથએ તેમણે માહિતી આપી હતી કે, ટેબ્લેટની ખરીદી અંગે વહીવટી સુધારણા વિભાગ દ્વારા વર્ક ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે અને આગામી સત્રથી ગૃહની તમામ કાર્યવાહી ઈલેક્ટ્રોનિક માધ્યમથી કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, આ પછી ગૃહને લગતી તમામ માહિતીની આપલે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે અને ગૃહના ટેબલ પર મૂકવામાં આવનારા કાગળો પણ ઈલેક્ટ્રોનિક રીતે રાખવામાં આવશે. સંધવાને જણાવ્યું હતું કે, આનાથી ગૃહની કામગીરીમાં વધુ પારદર્શિતા આવશે.
તેમણે જણાવ્યું હતું કે, NIC પંજાબ વિભાગ અને વહીવટી સુધારણાના સહયોગથી, 26 જૂન, 2023 ના રોજ રાજ્યના તમામ વિભાગોના નોડલ અધિકારીઓને વિધાનસભા સચિવાલય દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો જવાબ કેવી રીતે આપવો તેની માહિતી આપવા માટે એક વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પીકરે જણાવ્યું હતું કે, આ સિવાય મુખ્યમંત્રી ભગવંત માનની પહેલ હેઠળ જુલાઈ મહિનામાં તમામ ધારાસભ્યો માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવશે, જેમાં નવી ઓનલાઈન સિસ્ટમ અને પ્રોજેક્ટને લગતી તમામ માહિતી આપવામાં આવશે. તમામ ધારાસભ્યોને આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
