Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Punjab News : CM માને આંગણવાડી કાર્યકરોને આપી ભેટ, વહેંચ્યા 5 હજારથી વધુ નિમણૂંક પત્રો

Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુરૂવારના રોજ અમૃતસરના GNDU ખાતે આયોજિત રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ભગવંત માનને સ્ટેજ પર આંગણવાડી કાર્યકરો રાખડી બાંધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકરો જેવું કોઈ કામ નથી.

આ દરમિયાન ભગવંત માન મહિલાઓને રાખડી ભેટ આપી, આંગણવાડી કાર્યકરોને નિમણૂક પત્ર આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ 5704 બહેનોને નિમણૂક પત્રો આપી રહ્યા છે. નોકરીની ભલામણ નહીં અને પૈસા નહીં, માત્ર યોગ્યતાના આધારે નોકરી આપવી. તેઓ કોઈ માફિયાના પક્ષમાં નથી.

Punjab News

મંચ પરથી બોલતા મુખ્યમંત્રી ભગવંત માને વધુમાં જણાવ્યું હતું કે, આજે ઘણી બહેનો અમારી સરકારના પરિવારનો ભાગ બની રહી છે, અને પરિવારના દરેક સભ્યનું ધ્યાન રાખવામાં આવે છે. આપણી દીકરીઓ દીકરાઓથી ઓછી નથી, દીકરીઓ દરેક ક્ષેત્રમાં જીતી રહી છે, તેઓ કોઈ પણ રીતે પાછળ નથી. આપણે કોઈ તહેવાર પર નિર્ભર ન રહેવું જોઈએ. તમારે તમારી જાતને ક્યારેય ઓછી ન આંકવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે સવારે અમૃતસર પહોંચ્યા હતા. પહેલા તેમણે ગુરુદ્વારા શ્રી બાબા બકાલામાં નમન કર્યું અને પછી લગભગ 2 કલાકની આસપાસ તેઓ GNDU ખાતે રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ભગવંત માન ધીમે ધીમે તેમના વચનો અને બાંયધરી પૂરી કરી રહ્યા છે.

ગત કેટલાક મહિનાઓમાં કાચા શિક્ષકોને કાયમી કરીને તેમને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. પંજાબની શાળાઓમાં 10 થી 15 વર્ષથી ભણાવતા 12,710 અસ્થાયી શિક્ષકોને નિયમિત કરીને પંજાબ સરકારે મોટી ભેટ આપી છે અને દર વર્ષે તેમના પગારમાં પાંચ ટકા વધારો કરવાની જાહેરાત કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X