Punjab News: શહીદ કરતાર સિંહને CM માને આપી શ્રદ્ધાંજલિ, કહી ખાસ વાત
Punjab News: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન શહીદ કરતાર સિંહને તેમના શહીદ દિવસ પર યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યમંત્રી માન ગુરુવારના રોજ તેમના વતન ગામ પહોંચ્યા, જ્યાં તેમણે શહીદ કરતાર સિંહ સરભાને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે.
શહીદ કરતાર સિંહ સરાભાના શહીદ દિવસ નિમિત્તે રાજ્ય સ્તરીય કાર્યક્રમ દરમિયાન જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, શહીદ કરતાર સિંહ સરાભા ભારતના સૌથી યુવા ક્રાંતિકારી હતા, જેમણે માત્ર 19 વર્ષની વયે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

મુખ્યમંત્રી માને કહ્યું કે, આટલી નાની ઉંમરમાં શહીદ થયેલા કરતાર સિંહ સરભા સદીઓથી યુવા પેઢીઓ માટે તેમના દેશની નિઃસ્વાર્થ સેવા કરવા માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દેશને વિદેશી સામ્રાજ્યવાદની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આ મહાન શહીદની મહત્વની ભૂમિકા હોવાનું જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગદર પાર્ટીના સક્રિય નેતા તરીકે તેમણે પહેલા વિદેશમાં અને પછી દેશની આઝાદી માટે અથાક કામ કર્યું. રાજ્ય સરકાર ભારતીય વાયુસેના સ્ટેશન હલવારા, લુધિયાણા ખાતે બની રહેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ શહીદ કરતાર સિંહ સરાભા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાખશે.












Click it and Unblock the Notifications
