Punjab News: આમ આદમી ક્લિનિકને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો, માન સરકારની સમગ્ર વિશ્વમાં પ્રશંસા
Punjab News: પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ 600 થી વધુ આમ આદમી ક્લિનિક્સ ખોલવામાં આવ્યા છે. આમ આદમી ક્લિનિકને લઈને સરકાર દ્વારા ઘણીવાર અનેક દાવા કરવામાં આવે છે.
આ દરમિયાન આમ આદમી ક્લિનિકને વર્લ્ડ હેલ્થ સમિટમાં પ્રથમ સ્થાન મળ્યું છે. કેન્યાની રાજધાની નૈરોબીમાં ગ્લોબલ હેલ્થ સપ્લાય ચેઇન સમિટમાં આમ આદમી ક્લિનિકને પ્રથમ સ્થાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, 85 દેશોના પ્રતિનિધિઓએ પંજાબના હેલ્થ મોડલનું સમર્થન કર્યું છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયા સાઇટ X દ્વારા આ સિદ્ધિની માહિતી શેર કરી છે. મુખ્યમંત્રી માનને પોસ્ટમાં લખ્યું છે કે, પંજાબ માટે ગર્વની ક્ષણ. કેન્યાની રાજધાની નૈરોબીમાં ગ્લોબલ હેલ્થ સપ્લાય ચેઇન સમિટમાં અમારા આમ આદમી ક્લિનિક્સને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, પંજાબમાં AAPની સરકાર બન્યા બાદ દિલ્હીની તર્જ પર 664 આમ આદમી ક્લિનિક્સ ખોલવામાં આવ્યા હતા. આ દવાખાનામાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
