પંજાબના પોલીસ સ્ટેશનો તેમજ ચોકીઓને સીસીટીવી કેમેરાથી કરવામાં આવશે સજ્જ
પંજાબના મુખ્ય પોલીસ સ્ટેશનો અને ચોકીઓ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે. માનનીય સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર સરકાર દ્વારા આ યોગ્ય પગલું લેવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ માટે માર્ક કરાયેલા પોલીસ સ્ટેશનો અને ચોકીઓમાં લગભગ 600 કેમેરા લગાવવામાં આવશે.
પોલીસ સ્ટેશન અને આઉટપોસ્ટના જણાવ્યા અનુસાર, ત્યાં માર્ક કરેલા પોઈન્ટ પર કેમેરા લગાવવામાં આવશે, જેના માટે એક કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું છે. કંપનીએ તેનુ કામ પણ શરૂ કરી દીધુ છે. એવુ માનવામાં આવે છે કે આગામી 15 દિવસમાં કંપની તરફથી તેનુ કામ પૂર્ણ કર્યા બાદ તેનો રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવશે.

સૂત્રોનુ કહેવુ છે કે આ કેમેરા સ્ટેશન ઈન્ચાર્જની ઓફિસ, લૉક અપ, એન્ટ્રી અને અન્ય મહત્વના સ્થળો પર લગાવવામાં આવી રહ્યા છે જેથી પોલીસ સ્ટેશનમાં થતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. કંપની દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજી સાથેના કેમેરા લગાવવામાં આવી રહ્યા છે, જે રાત્રે પણ રેકૉર્ડ કરશે અને તે લગભગ 2 વર્ષ સુધી રેકૉર્ડ થશે અને રિમોટથી રેકોર્ડિંગ કરી શકશે.
આ કેમેરા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્પેશિયલ કંટ્રોલ રૂમ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. એવુ માનવામાં આવે છે કે પોલીસની કાર્યપ્રણાલીમાં વધુ સુધારો કરવા માટે જ આ પગલુ ભરવામાં આવી રહ્યુ છે જેથી પોલીસ સુધી પહોંચતા મામલા પર વહેલી તકે કાર્યવાહી થઈ શકે અને લોકોને ન્યાય મળી શકે.












Click it and Unblock the Notifications
