પંજાબઃ જેલ અધિકારીઓએ કેદીની પીઠ પર ગરમ સળિયાથી લખ્યુ આતંકવાદી, સરકારે આપ્યા તપાસના આદેશ
પંજાબના બરનાલામાં એક કેદીને જેલ અધિકારીઓએ કથિત રીતે ગરમ સળિયાથી માર્યો અને તેની પીઠ પર આતંકવાદી લખી દીધુ.
ચંદીગઢઃ પંજાબના બરનાલામાં એક કેદીને જેલ અધિકારીઓએ કથિત રીતે ગરમ સળિયાથી માર્યો અને તેની પીઠ પર આતંકવાદી લખી દીધુ. કેદીની પીઠના જે ફોટા સામે આવ્યા છે તે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ ગયા છે. પીડિતે કેસની ફરિયાદ જજને કરી છે. પંજાબ સરકારે કેસની તપાસના આદેશ આપ્યા છે. વળી, વિપક્ષી શિરોમણિ અકાલી દળે આ અંગે પંજાબની સરકારને આકરા સવાલો કર્યા છે.

બરનાલા જેલમાં 28 વર્ષનો કરમજીત સિંહ નશા તસ્કરીના એક કેસમાં બંધ છે. તેને મનસામાં અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કરમજીતે જજ સામે કહ્યુ કે જેલમાં કેદીઓ સાથે અમાનવીય વર્તન થઈ રહ્યુ છે. તેણે શર્ટ ઉતારીને પોતાની પીઠ બતાવીને કહ્યુ કે ગરમ સળિયાથી તેના શરીર પર આતંકવાદી લખી દેવામાં આવ્યુ છે. સાથે જ જણાવ્યુ કે એઈડ્સ અને હિપેટાઈટિસથી પીડિત લોકોને અલગ વૉર્ડમાં રાખવામાં આવતા નથી.
પંજાબ સરકારના તપાસના આદેશ
કરમજીતની પીઠના ફોટા આવ્યા બાદ આ કેસ ચર્ચામાં આવી ગયો. પંજાબના ઉપમુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ આ કેસમાં તપાસના આદેશ આપ્યા છે. રંધાવાએ એડીજીપી(જેલ) પીકે સિન્હાને કેસની ગંભીરતાથી તપાસ કરવાના અને કેદીની મેડિકલ તપાસ કરવાના આદેશ આપ્યા છે. વરિષ્ઠ અધિકારી તજિંદર સિંહ મૌર, ડીઆઈજી(ફિરોઝપુર)ને તપાસ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે. કર્મજીતના વકીલે જણાવ્યુ છે કે અદાલતે બરનાલાના સીજેએમ-કમ-જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે કેસની તપાસના આદેશ આપી દીધા છે.
અકાલી દળના નેતાનુ કોંગ્રેસ પર નિશાન
અકાલી દળના નેતા મનજિંદર સિરસાએ કેદીની પીઠના ફોટા ટ્વિટર પર શેર કર્યા છે. તેમણે ફોટા શેર કરીને લખ્યુ - આ સિખોને આતંકવાદી તરીકે ચિત્રિત કરવાની મંશા છે. પંજાબ પોલિસે વિચારાધીન સિખ કેદીને માર્યો અને તેની પીઠ પર અત્તવાદી(આતંકવાદી) લખ્યુ છે. અમે જેલ અધિક્ષકને તત્કાલ સસ્પેન્ડ કરવા અને માનવાધિકારોના ઉલ્લંઘન માટે કડક કાર્યવાહીની માંગ કરી છે.
Malicious intent of @INCPunjab gov to paint Sikhs as Terrorists!@PunjabPoliceInd beats undertrial Sikh prisoner & engraved word ‘Atwadi’ on his back
— Manjinder Singh Sirsa (@mssirsa) November 3, 2021
We demand immed suspension of Jail Superintendent & strict action for Human Rights violation@CHARANJITCHANNI @Sukhjinder_INC @ANI pic.twitter.com/kIi4aqHR9z
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
