પંજાબઃ સત્રમાંથી સસ્પેન્ડ થયા બાદ સુશીલ રિંકૂનું નિવેદન, કેન્દ્ર સરકારને લઈ કહી આ વાત
લોકસભા સેશનના મૉનસૂન સત્રમાંથી સસ્પેન્ડ થયા બાદ આમ આદમી પાર્ટીના સુશીલ રિંકૂનું નિવેદન સામે આવ્યું છે. રિંકૂએ કહ્યું કે, તેમને લોકો માટે અવાજ ઉઠાવવા અને લોકતંત્રની રક્ષા માટે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા તે વાતનો તેમને અફસોસ નથી.

તેમણે કહ્યું કે જ્યારે ચૂંટાયેલી સરકારની શક્તિઓ બિનચૂંટાયેલા અને નોકરશાહોને આપી દેવામાં આવે તો તે એક પ્રકારે સંવિધાનનું અપમાન છે. તેમણે કહ્યું કે કોણ ભ્રષ્ટ હતું કોણ નહીં તે અદાલત નક્કી કરશે.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના એકમાત્ર સાંસદ સુશીલ કુમાર રિંકૂને લોકસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ થયા બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ રિંકૂએ કહ્યું કે, સંવિધાન ટૂટી રહ્યું છે, દેશની સંઘીય વ્યવસ્થા ખતરામાં છે. જ્યારે ચૂંટાયેલી સરકારની શક્તિઓ બિન-ચૂંટાયેલ અને નોકરશાહોને આપી દેવામાં આવે તે સંવિધાનનું અપમાન છે. સતર્કતા વિભાગ કેન્દ્ર સરકારના હાથમાં છે. કોણ ભ્રષ્ટ છે કોણ નહીં તે અદાલત નક્કી કરશે. મને અફસોસ નથી કે લોકો માટે અવાજ ઉઠાવવા અને લોકતંત્રની રક્ષા કરવા માટે મને સસ્પેન્ડ કરી દેવાયો.












Click it and Unblock the Notifications
