પંજાબની અનધિકૃત કૉલોનીઓની સમસ્યા ઉકેલાશે, ટૂંક સમયમાં મળશે વીજળીના કનેક્શન
પંજાબની અનધિકૃત કૉલોનીઓ કે જેમાં અગાઉ વીજ કનેક્શન આપવામાં નહોતા ત્યાં હવે ટૂંક સમયમાં વીજળીના કનેક્શન આપવામાં આવશે.
ચંદીગઢઃ પંજાબની અનધિકૃત કૉલોનીઓમાં વિજળી કનેક્શન આપવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. આ માહિતી આપતાં પંજાબના પાવર એન્ડ પબ્લિક વર્કસ મિનિસ્ટર હરભજન સિંહ ઈટીઓએ જણાવ્યુ હતુ કે એસએએસ નગરની ડિવાઇન વર્લ્ડ હોમ વેલ્ફેર સોસાયટી સહિતના વ્યક્તિગત બિલ્ડરોએ આજે અનધિકૃત કૉલોનીઓમાં વીજળી કનેક્શન આપવાની માંગ કરી છે.

તેમણે માહિતી આપી હતી કે પીએસપીસીએલ દ્વારા તે અનધિકૃત વસાહતોમાં કનેક્શન આપવામાં આવતા નથી જેમના બિલ્ડરોએ પીએમપીસીએલ પાસેથી એનઓસી મેળવ્યુ નથી. ઉર્જા મંત્રીએ બિલ્ડરોને આ બાબતે ટૂંક સમયમાં તપાસ કરવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં પીએસપીસીએલ દક્ષિણ ઝોનના ચીફ એન્જિનિયર, મોનિટરિંગ એન્જિનિયર ડિસ્ટ્રિબ્યુશન સર્કલ મોહાલી, ખરડ, જીરકપુર વિભાગના વરિષ્ઠ કાર્યકારી ઈજનેર અને જીરકપુર, ખરડ અને બનુડના અલગ-અલગ બિલ્ડરોએ હાજરી આપી હતી.












Click it and Unblock the Notifications
