પંજાબઃ ખતમ થશે મંડી બોર્ડમાં વાઈસ ચેરમેન અને સીનિયર વાઈસ ચેરમેનના પદ
પંજાબ વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે બુધવારે ત્રણ બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા હતા. સંસદીય બાબતોના પ્રધાન ડૉ. ઈન્દરબીર સિંહ નિજ્જર દ્વારા રજૂ કરાયેલ પંજાબ વિધાનસભા વિધેયક, 2023માં મુખ્ય દંડકના પગાર અને ભથ્થા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા હતા.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ અને લઘુમતી મંત્રી ડૉ. બલજીત કૌર દ્વારા રજૂ કરાયેલ બીજુ બિલ 'પંજાબ રાજ અનુસૂચિત જાતિ આયોગ (સુધારા) બિલ, 2023' પણ પસાર કરવામાં આવ્યુ હતુ.
શહીદ-એ-આઝમ ભગત સિંહ રાજ્ય યુવા પુરસ્કારથી પોલીસ અધિકારી સમ્માનિત, સીએમ માને આપ્યુ પ્રોત્સાહન
કૃષિ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ દ્વારા રજૂ કરાયેલ ત્રીજુ બિલ 'પંજાબ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ (એમેન્ડમેન્ટ) બિલ, 2023' પણ પસાર કરવામાં આવ્યુ હતુ. નાણાકીય બોજને જોતા મંડી બોર્ડમાં વાઈસ ચેરમેન અને સrનિયર વાઈસ ચેરમેનની જગ્યાઓ નાબૂદ કરવામાં આવશે.
ભારતીય વાયુસેના સ્ટેશન હલવારા, લુધિયાણા ખાતે બનાવવામાં આવનાર ઇન્ટરનેશનલ એરપોર્ટનુ નામ શહીદ કરતાર સિંહ સરાભા ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે રાખવાનો પ્રસ્તાવ વિધાનસભામાં લાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ 16 નવેમ્બરે મહાન શહીદ કરતાર સિંહ સરભાના શહીદ દિવસ નિમિત્તે રજા પણ જાહેર કરી હતી.
Weather Update: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના, હવામાન વિભાગે આપ્યુ એલર્ટ