Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચીનના રસ્તે કૈલાશ માનસરોવર યાત્રા પર જશે રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 31 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા પર જશે. ધ્યાન આપવા જેવી બાબત છે કે રાહુલ ગાંધી કૈલાશ માનસરોવર યાત્રા નેપાળ રસ્તે નહીં પરંતુ ચીનના રસ્તે કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 31 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા પર જશે. આપને જણાવી દઈએ કે પોતાને શિવભક્ત ગણાવનાર રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને વચન આપ્યું હતું કે કર્ણાટક ચૂંટણી પછી તેઓ કૈલાશ યાત્રા પર જશે. આ વચનને પૂરું કરવા માટે રાહુલ ગાંધી કૈલાશ યાત્રા પર નીકળી રહ્યા છે. પરંતુ અહીં ધ્યાન આપવા જેવી બાબત છે કે રાહુલ ગાંધી કૈલાશ માનસરોવર યાત્રા નેપાળ રસ્તે નહીં પરંતુ ચીનના રસ્તે કરશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ વધાર્યુ આ યુવા નેતાનું કદ જેની સાથે ઉડી હતી લગ્નની અફવાઓ

31 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા પર જશે રાહુલ ગાંધી

31 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા પર જશે રાહુલ ગાંધી

ધ્યાન આપવા જેવી બાબત છે કે કર્ણાટક ઈલેક્શન દરમિયાન રાહુલ ગાંધીના વિમાન સાથે એક દુર્ઘટના થતા રહી ગયી હતી. તેમનું જહાજ અચાનક ઘણા હજાર ફુટ નીચે આવી ગયું હતું. તેના વિશે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે પ્લેન અચાનક 8 હજાર ફુટ નીચે આવી ગયું હતું. હું અંદરથી હલી ગયો હતો અને મને લાગ્યું કે કામ ખતમ, ત્યારે મને કૈલાશ માનસરોવર યાદ આવ્યું. હવે હું ત્યાં દર્શન કરવા જઈશ.

પોતાને શિવભક્ત કહે છે રાહુલ ગાંધી

આપને યાદ હોય તો બીજેપી ઘ્વારા રાહુલ ગાંધીના હિન્દૂ હોવા પર સવાલ ઉભા કરવામાં આવ્યા હતા, ત્યારથી રાહુલ ગાંધી પોતાને શિવભક્ત સાબિત કરવામાં જોડાઈ ગયા છે. તેઓ પોતાને જનેઉધારી હિન્દૂ કહે છે. ગુજરાત ઈલેક્શન દરમિયાન તેમના ઘણા મંદિરોમાં માથું પણ નમાવ્યું. તેમને એવું પણ કહ્યું કે તેઓ રુદ્રાક્ષની માળા પણ પહેરે છે.

કૈલાશ માનસરોવર યાત્રા

કૈલાશ માનસરોવર યાત્રા

હિન્દૂ ધર્મમાં ખાસ મહત્વ રાખતી માનસરોવર તિબ્બતની એક ઝીલ છે, જે 320 વર્ગ કિલોમીટર વર્ગમાં ફેલાયેલી છે. તેના ઉત્તરમાં કૈલાશ પર્વત અને પશ્ચિમમાં રાક્ષકતાલ છે. આ સમુદ્રતળથી 4556 મીટરની ઉંચાઈ પર આવેલું છે. તેની ત્રિજ્યા લગભગ 88 કિલોમીટર છે અને ઊંડાઈ 90 મીટર છે.

મનનું સરોવર

મનનું સરોવર

કૈલાશ પર્વત અને માનસરોવર ધરતીનું કેન્દ્ર માનવામાં આવે છે, તે હિમાલયના કેન્દ્રમાં આવેલું છે. માનસરોવર તે પવિત્ર જગ્યા છે જેને ભગવાન શિવનું ધામ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે કૈલાશ પર્વત પર ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X