Rahul Gandhi On Baba Siddique Murder : બાબા સિદ્દીકીની હત્યા પર રાહુલ ગાંધીએ શું કહ્યું?
Rahul Gandhi On Baba Siddique : મહારાષ્ટ્રમાં બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરાયા બાદ મુંબઈમાં ગુંડારાજને લઈને રાજનીતિ શરૂ થઈ છે.
રાહુલ ગાંધીએ બાબા સિદ્દીકીની હત્યા પર શોક વ્યક્ત કર્યો અને મહારાષ્ટ્રની કાનુન વ્યવસ્થા પર આકરા સવાલ કર્યા છે.

કાયદો અને વ્યવસ્થા મુદ્દે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે, બાબા સિદ્દીકીનું નિધન આઘાતજનક અને દુઃખદ છે. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર સાથે મારી સંવેદના છે.
તેમણે કહ્યું કે, આ ભયાનક ઘટના મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ ખોટ દર્શાવે છે. આ ખેદજનક પરિસ્થિતિને ઉજાગર કરે છે, સરકારે જવાબદારી લેવી જોઈએ અને ન્યાય થવો જોઈએ.
પૂર્વ લોકસભા સભ્ય પ્રિયા દત્તે પણ હત્યા પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, બાબા સિદ્દીકી એક ભાઈ અને પ્રિય મિત્ર હતા. આજે બાબા સિદ્દીકીના દુઃખદ અવસાનના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે. બાબા એક રાજકીય સાથી હતા અને મારા પિતા માટે એક પુત્ર જેવા હતા અને તે એક પ્રિય મિત્ર હતા.
બીજી તરફ અજીત પવારની એનસીપીએ એક પોસ્ટમાં લખ્યું કે, અમારા પક્ષના સાથીદાર બાબા સિદ્દીકીના દુઃખદ અવસાનને ધ્યાનમાં રાખીને પાર્ટીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, સિદ્દીકી તેની ભવ્ય ઈફ્તાર પાર્ટીઓ માટે જાણીતા હતા, જેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને સંજય દત્ત જેવા બોલિવૂડ સુપરસ્ટાર્સે હાજરી આપી હતી. તે બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્ય રહ્યાં અને આ વર્ષની ફેબ્રુઆરીની શરૂઆતમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અજિત પવારની NCPમાં જોડાયા હતા.












Click it and Unblock the Notifications
