રાહુલ ગાંધીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અજાણ્યા પત્રમાં થયો ખુલાસો
હાલ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા અંતર્ગત દેશના વિવિધ રાજ્યોમાં ફરીને લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી એક પત્ર દ્વારા આપવામાં આવી છે.
હાલ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા અંતર્ગત દેશના વિવિધ રાજ્યોમાં ફરીને લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી એક પત્ર દ્વારા આપવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધીને ઇન્દોરમાં પ્રવેશ કરે તે પહેલા જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળેલી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વચ્ચે તેમને ભારત જોડો યાત્રાના પ્રસંગે રાહુલ ગાંધી ઈન્દોર આવશે. આ ધમકી ભરેલા પત્ર અનુસાર રાહુલ ગાંધી ઈન્દોરમાં પ્રવેશે તે પહેલા તેમની બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અનામી ધમકીભર્યો પત્ર ઈન્દોરની એક મીઠાઈની દુકાનમાંથી મળી આવ્યો છે.
આ ધમકીભર્યો પત્ર જૂના ઈન્દોર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલી એક મીઠાઈની દુકાનમાંથી મળી આવ્યો છે. હાલ પોલીસ દુકાનની બહાર અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજના આધારે પત્ર મુકનારા વ્યક્તિને શોધ કરવામાં આવી રહી છે. આ પત્ર અંગે માહિતી આપતા ઇન્દોર પોલીસ જણાવે છે કે, જૂના ઈન્દોર વિસ્તારમાં આવેલી એક મીઠાઈની દુકાનમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ આ ધમકીભર્યો પત્ર મૂક્યો હતો. જે પત્ર દુકાન માલિકે જોયા બાદ આ પત્ર પોલીસને સોંપ્યો હતો. આ પત્રમાં ધમકી આપવાના સ્વરમાં લખ્યું છે કે, જો રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન ઈન્દોરની ખાલસા કોલેજમાં રોકાણ કરશે, તો તેમને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.