લોકસભામાં PM મોદીના ભાષણ મુદ્દે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમને એક પણ વાતનો જવાબ મળ્યો નથી.
નવી દિલ્હી : હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીને લઈને સંસંદમાં સતત હંગામો ચાલી રહ્યો છે. વિપક્ષ સતત માંગ કરી રહ્યુ હતું કે, પીએમ મોદી સંસંદમાં જવાબ આપે. હવે આ મુદ્દે રાહુલ ગાંધી લોકસભામાં સંબોધન કરીને અદાણીનો મુદ્દો ઉઠાવી મોદી સરકારને ઘેરી હતી. અહીં રાહુલ ગાંધીએ ગૃહમાં પીએમ મોદી અને અદાણીની એક તસવીર કરીને પ્રહાર કર્યા હતા. આ મુદ્દે પીએમ મોદીએ જવાબ આપ્યો. તેમણે ઈશારામાં રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. હવે આ મુદ્દે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે.

પીએમ મોદીના સંબોધન બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, હું પીએમના ભાષણથી સંતુષ્ટ નથી. પીએમએ એક પણ વાતનો જવાબ આપ્યો ન હતો. તેમના ભાષણમાં સચ્ચાઈ દેખાય છે. જો (અદાણી) મિત્ર નથી, તો તેમણેકહેવું જોઈતું હતું કે તેઓ તપાસ કરશે. વડાપ્રધાને શેલ કંપની પર કશું કહ્યું નહીં. બેનામી પૈસા ફરે છે. આનાથી સ્પષ્ટ છે કે પીએમ તેની રક્ષા કરી રહ્યા છે.
આ પહેલા રાહુલ ગાંધીને મીડિયાકર્મીઓએ ગૃહની કાર્યવાહીમાંથી રાહુલ ગાંધીના ભાષણ હટાવવા મુદ્દે સવાલ કર્યો હતો. જેના પર રાહુલે સવાલ કર્યો કે શા માટે તેમના શબ્દો રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યા? રાહુલ ગાંધીએ મંગળવારે તેમના ભાષણનો કેટલોક ભાગ ટ્વિટ કર્યો અને લખ્યું કે, વડાપ્રધાન તમે લોકશાહીનો અવાજ ભૂંસી નહીં શકો.ભારતના લોકો તમને સીધો સવાલ પૂછે છે. જવાબ આપો.
સંસદના ભાષણમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આ નિરાશા આવી રીતે નથી આવી, આ નિરાશા પાછળનું કારણ લોકોના વારંવારના આદેશ છે. 2004 થી 2014 સુધી ભારતની અર્થવ્યવસ્થા ડગમગી રહી હતી. આના પર નિરાશા ન થાય તો બીજુ શુ થાય. 10 વર્ષમાં મોંઘવારી ડબલ ડિજીટમાં રહી, તેથી જો કંઇક સારું થાય તો નિરાશા બહાર આવે છે.












Click it and Unblock the Notifications
