Rahul gandhi News : અનુસૂચિત જાતિ આયોગમાં ખાલી પદોને લઈને રાહુલ ગાંધીના મોદી સરકાર પ્રહાર
Rahul gandhi News : નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારની ટીકા કરતા કહ્યું કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC)માં મહત્વપૂર્ણ પદો લાંબા સમયથી ખાલી છે, જે દલિત હિતો માટે નુકસાનકારક છે.
રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને આ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે અપીલ કરી. ટ્વિટર પર એક પોસ્ટમાં તેમણે આ મુદ્દો ઉઠાવ્યો.

રાહુલ ગાંધીએ લખ્યું કે, NCSCમાં બે મુખ્ય પદો એક વર્ષથી વધુ સમયથી ખાલી છે, જે દલિતોના અધિકારો અને હિતો માટે ખતરો છે. ભાજપ સરકાર ઇરાદાપૂર્વક આયોગની અવગણના કરી રહી છે અને આ દલિત વિરોધી માનસિકતાનો પુરાવો છે.
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એક બંધારણીય સંસ્થા છે જેનું મુખ્ય કાર્ય અનુસૂચિત જાતિના લોકોના અધિકારોનું રક્ષણ અને તેમના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે.
રાહુલ ગાંધીએ સીધો સવાલ કર્યો કે જો આ પદો ખાલી રહેશે તો દલિતોની વકીલાત કોણ કરશે? તેમણે કહ્યું કે, ભાજપ સરકારની દલિત વિરોધી માનસિકતાનો વધુ એક પુરાવો! દલિતોના હિત રક્ષક આયોગની અવગણના કરવામાં આવી છે - બે મુખ્ય પદો છેલ્લા એક વર્ષથી ખાલી છે.
રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીને સંસ્થાની ખાલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક પગલા ભરવા માટે વિનંતી કરી. તેમણે કહ્યું કે, આયોગની કાર્યક્ષમતા જાળવી રાખવા અને દલિતોના હિતોને સુનિશ્ચિત કરવા માટે સરકારને જલદીથી નિર્ણય લેવો જોઈએ.
भाजपा सरकार की दलित विरोधी मानसिकता का एक और सबूत देखिए!
— Rahul Gandhi (@RahulGandhi) February 28, 2025
दलितों के अधिकारों की रक्षा करने वाले राष्ट्रीय अनुसूचित जाति आयोग को जानबूझकर उपेक्षित कर दिया गया है - इसके दो अहम पद पिछले एक साल से ख़ाली पड़े हैं।
यह आयोग एक संवैधानिक संस्था है - इसे कमज़ोर करना दलितों के संवैधानिक…
આ મુદ્દો દલિત હિતોના રક્ષણ માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જો NCSCના પદો લાંબા સમય સુધી ખાલી રહેશે તો દલિતોના અધિકારો અને હિતોને ખતરો છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ અંગે શું પગલા ભરે છે.












Click it and Unblock the Notifications
