Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાહુલ ગાંધીનુ મોટુ એલાન, સત્તામાં આવ્યા તો અનામત પર 50 ટકાની સીમા કરશે ખતમ

Rahul Gandhi: આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ એક મોટું વચન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જો આગામી ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તીગણતરી કરવામાં આવશે.

આ સાથે, અનામતની 50 ટકા મર્યાદા નાબૂદ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ભારતનો સૌથી મોટો પ્રશ્ન છે, અમારું પહેલું પગલું દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનું રહેશે.

rahul gandhi

રાહુલ ગાંધીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે અન્ય પછાત, દલિત અને આદિવાસી લોકોને તેમના અધિકારો આપવામાં આવે. વડાપ્રધાન કહે છે કે કોઈ જાતિ નથી પરંતુ જ્યારે પણ વોટ લેવાનો સમય આવે છે ત્યારે તેઓ કહે છે કે તેઓ ઓબીસી છે.

આ સાથે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો. ભાજપે આવું એટલા માટે કર્યું કારણ કે એક આદિવાસી મુખ્યમંત્રી હતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે હું ગઠબંધનના તમામ ધારાસભ્યો અને ચંપઈ સોરેનને અભિનંદન આપવા માંગુ છું કે તેઓએ આરએસએસના ષડયંત્રને રોક્યું, તેઓએ ગરીબોની સરકારની રક્ષા કરી. તમને જણાવી દઈએ કે ચંપઈ સોરેને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરીને બહુમત સાબિત કરી દીધો છે.

આ પહેલા હેમંત સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું, તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ હતો, જે બાદ EDએ તેમની ધરપકડ કરી હતી. હેમંત સોરેનની ધરપકડ બાદ ચંપઈ સોરેને રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X