'ભારત જોડો યાત્રા રોકવા માટે ભાજપ બહાના બનાવી રહી છે', મનસુખ માંડવિયાના પત્ર પર રાહુલનો જવાબ
રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે ભારત જોડો યાત્રા હાલ રાજસ્થાનમાં ફરી રહી છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને ભારત જોડો યાત્રા અટકાવા માટે કહ્યુ હતુ. ત
ભારત જોડો યાત્રામાં કોવિડ પ્રોટોકોલ સાથે સંબંધિત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની ચિઠ્ઠી પર કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પલટવાર કર્યો છે. તેણે કહ્યુ છે કે, યાત્રા રોકવા માટે બીજેપીનો નવો આડીયા છે. ભારત જોડો યાત્રા રોકવા માટે કોવિડનો સહારો લેવામાં આવી રહ્યો છે. આ બધુ યાત્રા રોકવા માટે ભાજપના બહાના છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, બીજેપીના લોકો હિન્દુસ્તાનની શક્તિથી હિન્દુસ્તાના સત્યથી ડરી ગયા છે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે, સ્વસ્થ્ય મંત્રી મનસૂખ માનડવિયાએ મને પત્ર લખ્યો, જેમા કહેવામાં આવ્યુ છે કે, કોવિડ આવી રહ્યો છે. યાત્રા રોકી દો. આ બધુ યાત્રા રોકવાનું બહાનુ છે. આ યાત્રા કાશઅમીર સુધી જશે. માસ્ક પહેરો અને યાત્રા બંધ કરો. કોવિડ ફેલાઇ રહ્યો છે, યાત્રા બંધ કરો આ માત્ર બહાનુ છે.
જણાવી દઇએ કે, મનસુખ માંડવીયાએ રાહુલ ગાંધીને લઇને ભારત જોડો યાત્રા રોકવાને લઇને પત્ર લખ્યો હતો. સ્વસ્થ્ય મંત્રીએ કહ્યુ હતુ કે, સુનિશ્ચિત કરવા માટે રાજસ્થાનમાં કોરોના ના ફેલાય, તેના માટે મે વિશેજ્ઞોની ટીમ સાથે વિચાર વિમર્સ કર્યા બાદ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. ભારત જોડો યાત્રામાં કોવિડ પ્રોટોકોલનું પાલન થવુ જોઇએ.