રેલવે લાંચ કૌભાંડ : પવન બંસલના અંગત સ્ટાફની પણ તપાસ થશે

સીબીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સી આ સમગ્ર કૌભાંડમાં બંસલ ઉપરાંત તેમના અંગત સ્ટાફની સંડોવણીની શક્યતાઓ ચકાસી રહી છે. આ સિલસિલામાં બંસલના સ્ટાફને આવનારા દિવસોમાં પૂચપરછ માટે બોલાવવામાં આવી શકે છે. સીબીઆઇ મહેશ કુમારની પોસ્ટિંગ સંબંધિત કેટલીક હકીકતો બંસલના અંગત સ્ટાફ પાસેથી મેળવશે.
હાલ સીબીઆઇ સિંગલા અને તેના સ્ટાફની પૂછપરછ કરી રહી છે. જેથી અધિકારીની ભૂમિકાને સમજી શકાય. જે મહેશ કુમારને સભ્ય (સ્ટાફ)થી બદલીને સભ્ય (ઇલેક્ટ્રિકલ)નું પદ આપતા અને મહાપ્રબંધક (પશ્ચિમ)નો વધારાનો પદભાર પણ આપવાના હતા. રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડના સભ્યોના પદમાં સીધો ફેરફાર એવી રીતે જ કરવામાં આવે છે જેવી રીતે નવા સભ્યોની નિમણૂંક કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા સતર્કતાની મંજૂરી મળ્યા અને કેબિનેટની નિયુક્તિ સમિતિની સહમતી બાદ જ કરવામાં આવે છે.
રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર કોઇ પણ સભ્યને વધારાનો પદભાર આપવાની સત્તા માત્ર રેલવે મંત્રી પાસે છે. સીબીઆઇની સૂત્રો એમ જણાવે છે કે અત્યાર સુધી એવા કોઇ પુરાવા નથી મળ્યા જેમાં લાંચના તાસ સીધા બંસલ સાથે સંકળાયેલા હોવાનું દેખાતું હોય. આ અંગેની તપાસ હજી પ્રારંભિક સ્થિતિમાં જ છે. આરોપીઓની ગહત પૂછપરછ બાદ તેમની ધરપકડ અંગેના નિર્ણય લેવામાં આવશે.
સીબીઆઇનું કહેવું છે કે સિંગલાના ફોન કોલ્સની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે તે રેલવે મંત્રીના નજીકના અધિકારીઓના સંપર્કમાં રહેતો હતો. આ અધિકારીઓની તપાસ કરવી કે નહીં તે અંગે હજી સુધી સીબીઆઇ કોઇ નિર્ણય પર પહોંચી નથી. પણ તે કેટલાક મુદ્દે સ્પષ્ટતા માંગી શકે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
