Weather News: કેરળ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ
Rain Alert: દેશભરમાં વરસાદ વરસી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગએ આજે રાજસ્થાન, કર્ણાટક, કેરળના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. જ્યારે તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Weather News: દેશના અનેક રાજ્યોમાં ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ છે. પહાડોમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે દિલ્હીમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. યુપી અને બિહારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણા શહેરોમાં પાણી લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. પ્રયાગરાજ અને વારાણસીમાં ગંગાનું પાણીનું સ્તર વધી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુરુવારે હિમાચલમાં ભારે વરસાદ પડ્યો હતો. તેના કારણે સિરમૌરમાં NH707 પર ભૂસ્ખલન થયું હતું. હવામાન વિભાગે હિમાચલના 9 જિલ્લાઓમાં અચાનક પૂરની આગાહી કરી છે. 20 જૂનથી રાજ્યને 1220 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
કેરળમા ભારે વરસાદે લઈ રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે આજે એટલે કે 18 જુલાઈના રોજ કેરળ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. કેરળમાં થોડા દિવસોથી વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગએ આજે કન્નુર, વાયનાડ અને કાસરગોડ જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે. ઇડુક્કી, મલપ્પુરમ અને કોઝિકોડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે.
અમરનાથ યાત્રા મુલતવી રાખવામાં આવી
જમ્મુ અને કાશ્મીરમાં સતત વરસાદને કારણે બુધવારે અમરનાથ યાત્રા રૂટ પર ભૂસ્ખલન થયું હતું. ગાંદરબલમાં બાલતાલ રૂટ પર ભૂસ્ખલનમાં એક મહિલા યાત્રાળુનું મોત થયું હતું, જ્યારે ત્રણ ઘાયલ થયા હતા. આ પછી યાત્રા આખા દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી.
બિહારમાં વીજળી પડવાથી 19 લોકોના મોત થયા
છેલ્લા 24 કલાકમાં બિહારમાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. નાલંદામાં સૌથી વધુ 5 લોકોના મોત થયા છે. વૈશાલીમાં વીજળી પડવાથી 4 લોકોના મોત થયા છે. બાંકા અને પટનામાં 2-2 લોકોના મોત થયા છે.












Click it and Unblock the Notifications
