ગાયોની તસ્કરી કરનારને 2-4 તમાચા મારી ઝાડ સાથે બાંધી દો: ભાજપા વિધાયક
રાજસ્થાનમાં જે રીતે ગાયોની તસ્કરી કરવાના આરોપમાં રકબરની ભીડ ઘ્વારા હત્યા કરી દેવામાં આવી, તેના પછી ભાજપા વિધાયક ઘ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે.
રાજસ્થાનમાં જે રીતે ગાયોની તસ્કરી કરવાના આરોપમાં રકબરની ભીડ ઘ્વારા હત્યા કરી દેવામાં આવી, તેના પછી ભાજપા વિધાયક ઘ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. ભાજપા વિધાયક જ્ઞાનદેવ આહુજા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો તમે ગાયોની તસ્કરી કરતા કોઈને પકડો તો તેને 2-4 તમાચા મારી ઝાડ સાથે બાંધી દો પછી પોલીસને જાણ કરો. આપણે જણાવી દઈએ કે ભાજપ વિધાયક ઘ્વારા આવું નિવેદન એવા સમયે આવ્યું છે જયારે ભીડ ઘ્વારા ગાયોની તસ્કરી કરવાના આરોપમાં લોકોને મારી નાખવામાં આવી રહ્યા છે.
પહેલા પણ આપી ચુક્યા છે વિવાદિત નિવેદનો
મોબ લિંચિંગ પર બીજેપી વિધાયક જ્ઞાનદેવ આહુજા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જનતાએ આવા મામલે પોલીસને જાણકારી આપવી જોઈએ, જાતે હિંસા નહીં કરવી જોઈએ, ભીડ તસ્કરોને બે ચાર થપ્પડ મારીને પોલીસને સોંપી દેતી. સૂત્રો ઘ્વારા જાણવા મળ્યું છે કે પોલીસે મૃતકની કસ્ટડીમાં પીટાઈ કરી હતી. પોલીસે બતાવવા માંગતી હતી કે તેઓ કાર્યવાહી કરી રહ્યા છે. આખા મામલે જાંચ થયા પછી જ ખબર પડશે કે હત્યા ભીડ ઘ્વારા કરવામાં આવી છે કે પછી પોલીસ પિટાઈમાં મૌત થયી છે.
બર્બરતાપૂર્વક પીટાઈ
આપણે જણાવી દઈએ કે હરિયાણાનો રહેવાસી અકબર ખાનની અલ્વરના રામગઢ ચોકી વિસ્તારના લાલાવડી ગામમાં ભીડે મારી મારીને હત્યા કરી નાખી. અકબર વાહનમાં બે ગાયો લઈને ત્યાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ તેને ગૌ તસ્કર કહીને તેને ઘેરી લીધો અને બર્બરતાપૂર્વક તેની પીટાઈ કરી. ભીડે અકબરને એટલો માર્યો કે તેની મૌત થઇ ગયી.
બીજેપી વિધાયક સુરેન્દ્ર સિંહ
યુપીમાં બીજેપી વિધાયક સુરેન્દ્ર સિંહ ઘ્વારા હાલમાં જ નિવેદન આપવામાં આવ્યું હતું કે હિંદુત્વને બચાવવા માટે દરેક હિંદુએ 5 બાળકો પેદા કરવા પડશે. આ નિવેદનના એક દિવસ પછી બીજેપી સાંસદ ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે મુસલમાનોની જનસંખ્યા ઝડપથી વધી રહી છે, જે એક ચિંતાનો વિષય છે. તેમને કહ્યું કે તેને કારણે દેશમાં આતંકવાદ અને મોબ લિંચિંગ જેવી ઘટનાઓ વધી રહી છે.