રાજસ્થાન: સરકારી કર્મચારીઓ 1 જગ્યાએ 3થી વધુ વર્ષ નહી રહી શકે, 4 લાખ કર્મચારીઓની કરાશે બદલી
રાજસ્થાનની રાજધાની જયપુર સ્થિત યોજના ભવનની ઓફિસમાંથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું મળી આવતા અધિકારીઓ અને કર્મચારીઓ શંકાના દાયરામાં આવ્યા હતા. આ સરકારના નાક નીચે જ થયું છે. આવી સ્થિતિમાં રાજસ્થાન સરકાર પોતાની ઈમેજ સુધારવા માટે મોટા પગલા લઈ રહી છે.

હવે રાજસ્થાનની સરકારી કચેરીઓમાં ત્રણ વર્ષથી એક જ જગ્યાએ તૈનાત કર્મચારીઓ અહીં-તહીં ફરશે. જો કે વિભાગમાં જરૂર જણાય તો કર્મચારીની સેવા ત્રણથી પાંચ વર્ષ સુધી લઈ શકાય છે. રાજસ્થાન સરકારે આ અંગે ટ્રાન્સફર પોલિસી પણ તૈયાર કરી છે. આ આદેશ બાદ રાજસ્થાનમાં લગભગ 4 લાખ સરકારી કર્મચારીઓની બહદલી થઇ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજસ્થાનના મુખ્ય સચિવ ઉષા શર્મા દ્વારા જારી કરાયેલા ટ્રાન્સફર ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓને સચિવાલય અને વિવિધ વિભાગોના નિર્દેશાલયો અને કમિશનરેટ્સમાં પોસ્ટ કરવામાં આવે છે, જે શાસનની પારદર્શિતા પર પ્રતિકૂળ અસર કરે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
