રાજસ્થાન: સરકારી કર્મચારીઓ 1 જગ્યાએ 3થી વધુ વર્ષ નહી રહી શકે, 4 લાખ કર્મચારીઓની કરાશે બદલી
રાજસ્થાનની રાજધાની જયપુર સ્થિત યોજના ભવનની ઓફિસમાંથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું મળી આવતા અધિકારીઓ અને કર્મચારીઓ શંકાના દાયરામાં આવ્યા હતા. આ સરકારના નાક નીચે જ થયું છે. આવી સ્થિતિમાં રાજસ્થાન સરકાર પોતાની ઈમેજ સુધારવા માટે મોટા પગલા લઈ રહી છે.

હવે રાજસ્થાનની સરકારી કચેરીઓમાં ત્રણ વર્ષથી એક જ જગ્યાએ તૈનાત કર્મચારીઓ અહીં-તહીં ફરશે. જો કે વિભાગમાં જરૂર જણાય તો કર્મચારીની સેવા ત્રણથી પાંચ વર્ષ સુધી લઈ શકાય છે. રાજસ્થાન સરકારે આ અંગે ટ્રાન્સફર પોલિસી પણ તૈયાર કરી છે. આ આદેશ બાદ રાજસ્થાનમાં લગભગ 4 લાખ સરકારી કર્મચારીઓની બહદલી થઇ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજસ્થાનના મુખ્ય સચિવ ઉષા શર્મા દ્વારા જારી કરાયેલા ટ્રાન્સફર ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓને સચિવાલય અને વિવિધ વિભાગોના નિર્દેશાલયો અને કમિશનરેટ્સમાં પોસ્ટ કરવામાં આવે છે, જે શાસનની પારદર્શિતા પર પ્રતિકૂળ અસર કરે છે.












Click it and Unblock the Notifications
