રાજસ્થાનમાં ભાજપને અત્યારે ફ્લોર ટેસ્ટની જરૂર નથીઃ ગુલાબચંદ કટારિયા
ફ્લોર ટેસ્ટની માંગ પર ભાજપનુ નિવેદન પાયલટ જૂથથી અલગ છે.
રાજસ્થાનમં છેલ્લા એક અઠવાડિયાથી રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. આ દરમિયાન મંગળવારે રાજસ્થાન કોંગ્રેસે સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને પીસીસી ચીફના પદ પરથી હટાવી દીધા. તેમની સાથે જ બે અન્ય મંત્રીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી. આ દરમિયાન પાયલટ જૂથે દાવો કર્યો હતો કે ગહેલોત સરકાર લઘુમતમાં છે. માટે ફ્લોર ટેસ્ટ કરાવવો જોઈએ. વળી, ફ્લોર ટેસ્ટની માંગ પર ભાજપનુ નિવેદન પાયલટ જૂથથી અલગ છે.

અમારે અત્યારે ફ્લોર ટેસ્ટની જરૂર નથી
આ બાબતે રાજસ્થાન ભાજપના વરિષ્ઠ નેતા અને વિપક્ષ ગુલાબ ચંદ કટારિયાએ કહ્યુ કે અમારે અત્યારે ફ્લોર ટેસ્ટની જરૂર નથી. જો આની જરૂર લાગશે તો પાર્ટી બેઠક કરીને આના પર નિર્ણય લેશે. તેમણે કહ્યુ કે અમે બેઠકનો સમય સચિન પાયલટની પ્રેસ કૉન્ફરન્સના આધારે નક્કી કર્યો હતો પરંતુ અત્યારે તેને રદ કરી દેવામાં આવી છે. વળી, પૂર્વ સીએમ વસુંધરા રાજેને સાંજ સુધી જયપુર પહોંચવા માટે કહેવામાં આવ્યુ છે.

ભાજપના નહિ જાય પાયલટ
સચિન પાયલટે કહ્યુ કે ભાજપમાં શામેલ થવા વિશે એક ખોટો એજન્ડા ફેલાવવામાં આવી રહ્યો છે. મે ભાજપ સાથે લડાઈ લડી છે અને હરાવી છે તો હું ભાજપ કેમ જોઈન કરીશ. હાલમાં માત્ર એટલુ કહી શકુ કે લોકો માટે કામ કરવાનુ ચાલુ રાખીશ. તમને જણાવી દઈએ કે ગહેલોત સાથે વિદ્રોહ બાદ એ ચર્ચા હતી કે પાયલટ પોતાના મિત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ ભાજપ જોઈને કરી લેશે.

ભાજપને રોકવાનો કોંગ્રેસનો નવો પ્લાન
સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવાયા બાદ કોંગ્રેસ હવે તેમને વિધાનસભાથી અયોગ્ય ઘોષિત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. વિધાનસભા સ્પીકરે સચિન પાયલટ સહિત કોંગ્રેસના 19 વિદ્રોહી ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં શામેલ થવાના આરોપમાં અયોગ્ય ગણવા માટે નોટિસ મોકલી શુ્ક્રવારે જવાબ માંગ્યો છે. વાસ્તવમાં આ પગલાં દ્વારા કોંગ્રેસ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ હોવાની સ્થિતિમાં બહુમતના આંકડાને ઘટાડવા ઈચ્છે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
