પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના બધા 6 હત્યારાઓને સુપ્રીમ કોર્ટે કર્યા મુક્ત
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના હત્યાકાંડમાં મોતની સજા ભોગવી રહેલ નલિની સહિત બધા 6 આરોપીઓને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના હત્યાકાંડમાં મોતની સજા ભોગવી રહેલ નલિની સહિત બધા 6 આરોપીઓને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે રાજ્યપાલે પગલુ ન લીધુ તો અમે લઈ રહ્યા છે. તેમણે કહ્યુ કે દોષી પેરાલીવલનની મુક્તિનો આદેશ બાકીના દોષિતો પર લાગુ થશે. દોષિતો નલિની અને આરપી રવિચંદ્રનની સમય પહેલા મુક્તિની માંગ પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. જેમની મુક્તિનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં નલિની, રવિચંદ્રન, મુરુગન, સંથન, જયકુમાર અને રોબર્ટ પોયસનો સમાવેશ થાય છે.
સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને રાજીવ ગાંધી હત્યાના દોષિતોની સમય પહેલા મુક્તિનુ સમર્થન કર્યુ હતુ. નલિની શ્રીહર અને આરપી રવિચંદ્રને મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે 17 જૂને દોષિતોની અરજીઓ ફગાવી દીધી હતી. બંને દોષિતોએ તેમની અરજીમાં એજી પેરારીવલનની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને તેમની મુક્તિની માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે નિર્ણયમાં જેલના આચરણને પણ ધ્યાનમાં લેવામાં આવ્યુ છે. હકીકત એ છે કે તેમણે જેલમાં 30 વર્ષથી વધુ સમય પસાર કર્યો છે. રાજ્ય કેબિનેટનો નિર્ણય રાજ્યપાલને બંધનકર્તા છે પરંતુ રાજ્યપાલે ચાર વર્ષ સુધી પગલાં લીધા નથી. જેથી સુપ્રીમ કોર્ટે તમામને મુક્ત કરી દીધા. તમને જણાવી દઈએ કે આ તમામ જેલમાં સારી વર્તણૂક ધરાવતા હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ સાથે જ તમામે જેલવાસ દરમિયાન ઘણી ડિગ્રીઓ પણ હાંસલ કરી હતી. અદાલતે એજી પેરીરિવલનને મુક્ત કરવાના પોતાના 18 મે, 2022ના ચુકાદાને બાકી આજીવન દોષિતો પર લાગુ કર્યો. પેરારિવલન માટે નિર્ધારિત માનદંડ બાકી દોષિતો મામલે પણ બનાવવામાં આવ્યા છે.