જયંતી નટરાજન: રાજીવ સાથે મિત્રતા રાહુલ સાથે શત્રુતા
નવી દિલ્હી, 31 જાન્યુઆરી: હાલમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલી કોંગ્રેસને જ્યાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સુધારવાની કોશીશ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ પોતાના વરિષ્ઠ નેતાઓના બળવાએ તેમની કોશીશો પર પાણી ફેરવી દીધું છે. તાજી બબાલ જયંતી નટરાજનના રૂપમમાં સામે આવી છે, જેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી તેમના કાર્યોમાં દખલગીરી કરતા હતા, જેના કારણે તેઓ દુ:ખી થઇને પાર્ટી છોડી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે જયંતી નટરાજનનું રાજનીતિ કરિયર, 1980ના દાયકામાં રાજીવ ગાંધીના કારણે શરૂ થયું. તેઓ પહેલી વાર 1986માં રાજ્યસભા માટે પસંદ કરયા. રાજીવ ગાંધીના ગુડ લિસ્ટમાં જયંતી નટરાજનને ગાંધી પરિવારને ખૂબ જ નજીક માનવામાં આવતા હતા પરંતુ રાજીવ ગાંધીના મૃત્યું બાદ તેમની તલ્ખી સોનીયા સાથે વધતી ગઇ અને લગભગ તેનું જ પરિણામ છે કે આજે જયંતી નટરાજને કોંગ્રેસ છોડવાનો નિર્ણય લેવો પડ્યો.

રાજીવ ગાંધીની ખૂબ જ નીકટ હતી જયંતી નટરાજન
પરંતુ આજે જયંતી નટરાજને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે તેઓ પર્યાવરણ મંત્રી હતા ત્યારે રાહુલ ગાંધી તેમના કામમાં દખલગીરી કરતા હતા. ઘણા મહત્વપૂર્ણ મામલામાં રાહુલ ગાંધી અને તેમના કાર્યાલયથી ઘણા ખાસ અનુરોધ મળ્યા હતા. જયંતી નટરાજને એ પણ જણાવ્યું કે રાહુલ ગાંધી તરફથી તેઓ સતત ઉપેક્ષિત થતા રહ્યા છે. રાહુલ ગાંધીએ ક્યારેય પણ તેમની ઇજ્જત નથી કરી. તેમણે જણાવ્યું કે રાહુલ તરફથી છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલી ઉપેક્ષા અને અપમાને મારા 30 વર્ષના રાજકિય કારકિર્દીને તબાહ કરી દીધી.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
